ઉદય રંજન/અમદાવાદઃ ભાજપના વરિષ્ઠ નેતા અને કચ્છના રાજકારણમાં મોટું નામ ધરાવતા જયંતી ભાનુશાળીની હત્યા કરી દેવાય બાદ ગુરુવારે સીઆઈડી ક્રાઈમ દ્વારા એક પત્રકાર પરિષદમાં હત્યાના કાવતરાખોરોના નામ જાહેર કરાયા હતા. જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરું કચ્છ ભાજપના જ એક અન્ય નેતા છબીલ પટેલ અને જયંતી ભાનુશાળીની કથિત પ્રેમીકા મનીષા ગોસ્વામીએ ઘડી હોવાનું જાહેર કરાયું છે. જોકે, ભાનુશાળીની હત્યામાં એક અન્ય નામ સુરજીત ભાઉનું પણ બહાર આવ્યું છે, પરંતુ આ સુરજીત ભાઉ કોણ છે અને ક્યાં રહે છે તેના અંગે પોલીસ મગનું નામ મરી પાડી નથી રહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરુવારે પોલીસે ભાનુશાળીની હત્યાના કાવતરાખોરો, હત્યા કેવી રીતે થઈ અને હત્યારાના નામ જાહેર કર્યા હતા. ઝી 24 કલાકના હાથમાં એક તસવીર આવી છે. જેમાં છબીલ પટેલની સાથે ફોટામાં અન્ય ત્રણ વ્યક્તિ બેઠા છે. છબીલ પટેલની ડાબી બાજુએ બેસેલો બ્લ્યૂ શર્ટ પહેરેલો દાઢીવાળો શખ્સ સુરજીત ભાઉ હોવાની માહિતી મળી છે, પરંતુ અન્ય બે શખ્સો કોણ છે અને આ ફોટો કયા સ્થળનો છે તેની માહિતી મળી નથી.


જયંતી ભાનુશાળી હત્યાઃ છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી મુખ્ય કાવતરાખોર


ઉલ્લેખનીયછે કે, જયંતી ભાનુશાળી હત્યા કેસમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા નીતિન પટેલ અને રાહુલ પટેલ નામના બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે,  આ બંને આરોપીઓ શાર્પશૂટર શશીકાંત કાંમ્બલે અને અશરફ શેખને આશરો આપ્યો હતો. તો શું છબીલ પટેલની આ તસવીરમાં બેસેલા અન્ય બે શખ્સો રાહુલ પટેલ અને નીતિન પટેલ છે કે પછી શાર્પશૂટર શસીકાંત કાંમ્બ્લે અને અશરફ શેખ છે?


જયંતિ ભાનુશાળીની હત્યા કેવી રીતે થઇ? જાણો હકીકત


પોલીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરું પુણેમાં ઘડવામાં આવ્યું હતું અને હત્યા કરવા આવેલા બંને શાર્પ શુટર પુણેથી આવ્યા હતા. પુણેથી આવ્યા બાદ ભાનુશાળીની હત્યા પહેલાં ચાર-પાંચ દિવસ સુધી કચ્છમાં રોકાયા હતા. રેકી કરી હતી અને આ રેકી કરવામાં મનીષા ગોસ્વામી અને છબીલ પટેલના માણસોએ મદદ કરી હતી. પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી ઉત્તર પ્રદેશ અને પુણેમાં શાર્પ શૂટરને શોધવા અભિયાન ચલાવી રહી છે,પરંતુ હજુ કશું હાથ લાગ્યું નથી.


જયંતી ભાનુશાળી હત્યા કેસમાં પોલીસે કરી 3 આરોપીઓની ધરપકડ


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...