અમરેલીઃ અમરેલીના રાજુલા-સાવરકુંડલા રોડ પર અકસ્માતમાં બે યુવાનોનાં મોત થયા છે. નચિકેતા સ્કૂલ પાસે બાઈકચાલક વૃક્ષ સાથે અથડાતા માથામાં ગંભીર ઉજા થતા બે યુવાનના મોત થયા છે. દિવાળીના દિવસે બે યુવાનના ઘટના સ્થળે જ મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો છે. મૃતક બન્ને યુવાન માંડરડી ગામના છે. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.