સત્યમ હંસોરા/રાજકોટ :મોડી રાત્રે રાજકોટમાં અતિચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના 150 ફૂટ રોડ પાસે એક એપાર્ટમેન્ટમાં એક મહિલા એએસઆઈ અને કોન્સ્ટેબલ એકસાથે રહેતા હતા. બંનેનો મૃતદેહ લમણે ગોળી મારેલો મળી આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર રાજકોટમાં વિવિધ વાતો વહેતી કરી છે. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ બેડામાં પણ સન્નાટો છવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત જેઠવા કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા


રાજકોટ પોલીસ બેડામાં કાન સરવા થઈ જાય તેવી ઘટના બની છે. રાજકોટના 150 ફૂડ રીંગ રોડ પર કટારીયા શો રૂમની આગળ પંડિત દિનદયાલ નગર હાઉસિંગ બોર્ડ આવેલું છે. તેના ક્વાર્ટર નં. ઈ-402માં મહિલા એએસઆઈ ખુશ્બુ કાનાબાર (ઉંમર 28 વર્ષ) અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા (ઉંમર 30 વર્ષ) રહેતા હતા. તેમણે ગઈકાલે મોડી રાત્રે લમણે ફાયરિંગ કરીને આત્મહત્યા કરી હતી. બંને સાથે જ અહી રહેતા હતા અને બંનેએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી છે. જોકે, બંને પોસાથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી, તેથી પોલીસ પણ આ કેસમાં ગૂંચવાઈ છે. 


આજે જો તમે અંબાજી જશો તો ત્યાંની તમામ દુકાનો બંધ મળશે, કારણ છે....


ખુશ્બુ કાનાબાર રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં મહિલા એએસઆઈ તરીકે ફરજ બજાવતી હતી. તો રવિરાજ ડી સ્ટાફના કોન્સ્ટેબલ તરીકેની સેવામાં હતો. આ બનાવ બાદ રાજકોટ પોલીસ દોડતી થઈ હતી. ડીસીપી રવિ મોહન સૈની સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 


9 વર્ષ બાદ અમિત જેઠવા હત્યા કેસમાં ન્યાય મળતા પિતા બોલ્યા, આખરે અમને સફળતા મળી


સૂત્રો દ્વારા માહિતી મળી કે, આ સમગ્ર પ્રકરણમા પ્રેમપ્રકરણ કારણભુત હોવાની ચર્ચાએ તપાસ થઇ રહી છે. ઘટના બની એ કવાર્ટર મહિલા એએસઆઇ ખુશ્બૂબેન કાનાબારે ભાડેથી રાખ્યાનું કહેવાય છે. રવિરાજસિંહ એ. જી. સોસાયટી આસપાસ રહેતાં હતાં. પણ, બંને એકસાથે કેવી રીતે આવ્યા અને બંને વચ્ચે શું થયું હતું તે દિશામા પોલીસ તપાસ કરી રહી છે.


પોલીસે પ્રાથમિક તપાસ બાદ કહ્યું કે, બંનેએ ગોળી મારી આપઘાત કર્યો હોવાની પોલીસને શંકા છે. બંને સર્વિસ રિવોલ્વરથી જ આત્મહત્યા કરી છે. આ અંગે અમે તપાસ કરી રહ્યાં છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :