દિનેશ વિઠલાણી/ દ્વારકા: દ્વારકા નજીક ઓખા મઢીમાં એક મહિલાની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જો કે, ઘટનાની જાણ થતા દ્વારકા પોલીસે સ્થળ પર પહોંચી મહિલાના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે દ્વારકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાંથી જામનગર ખાતે ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્વારકામાં અંધશ્રદ્ધાનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના દ્વારકા જિલ્લાના ઓખા મઢીના શિવ વિસ્તારની છે. જ્યાં એક મહિલાની હત્યા કરવામાં આવી છે. અંધશ્રદ્ધામાં વિશ્વાસ હોઈ ત્યારે આ માતાજી છે અને રમીલાબેન ધૂણવા લાગ્યા અને આરોપીઓએ લોખંડની સાંકળથી શરીર પર માર મારી અને સળગતા ડામ આપી ગંભીર પ્રાણઘાતક જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી.


ગુજરાત સરકારે આપી મોટી ભેટ, સરકારી નોકરીમાં ભરતી માટે એક વર્ષની સમયમર્યાદા વધારી


જો કે, રમીલાબેન વાલાભાઈ સોલંકી ઉં. 25 નું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. આરોપીઓ દ્વારા રમીલાબેનને માથાના ભાગે તેમજ શરીર પર અને ગળાના ભાગે અને છાતીમાં ડામ દઈ તેમજ માર મારી હત્યા કરી હતી. ત્યારે આ મામલે દ્વારકા પોલીસે મહિલાના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે દ્વારકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાંથી જામનગર ખાતે ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.


રાવણ દહન કાર્યક્રમ મામલે હર્ષ સંઘવીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ગૃહ રાજ્યમંત્રીએ


દ્વારકા પોલીસે મહિલાના બલ્ડ સેમ્પલ અને કપડાને કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે રમીલાબેનના પતિએ ફરિયાદ નોંધાવી છે. મૃતક મહિલાના પતિએ મહિલાના કુટુંબના ભૂવા અને કુટુંબીઓએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube