દાહોદ: દાહોદમાં એક મહિલાએ બે બાળકો સાથે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. મહિલાએ બાળકો સાથે કુવામાં ઝંપલાવતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. 108 અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, આ મામલે પોલીસે સાસરિયા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ દાહોદમાં પરિણીતાએ પિયરમાં આવી 2 સંતાનો સાથે કુવામાં કુદી મોતને વ્હાલુ કર્યું છે. દાહોદના લીમખેડાના બાર ગામે પરણીતાએ તેના બે સંતાનો સાથે કુવામાં ઝંપ્લાવ્યું હતું. આ ઘટનામાં મહિલા તેમજ 6 વર્ષનો બાળક અને 2.5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. જો કે, આ ઘટના બાદ આસપાસના સ્થાનિકો સ્થળ પર એકત્રિત થયા હતા. ઘટનાની જાણ થતા 108 અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.


આ પણ વાંચો:- ખેડૂતોની છીનવાઈ ખૂશી: વાવાઝોડાએ તૈયાર પાકને કર્યો જમીન દોસ્ત, સર્વે બાદ ચૂકવાશે સહાય


108 અને પોલીસ દ્વારા મહિલા તેમજ બંને બાળકોના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ 108 દ્વારા આ ત્રણેયના મૃતદેહને પીએમ અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. આ મામલે ધાનપુરના ઘોડાઝર ગામની પરણીતાએ સાસરીયાના ત્રાસથી બે બાળકો સાથે કુવામાં ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે પોલીસે મૃતક પરણીતાના સાસરિયા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube