અમદાવાદ : નર્મદા કાંઠે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલ તેમની 182 મીટર ઊંચી વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આજે અનાવરણ કરાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને આજે વિશ્વને સમર્પિત કર્યું. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બે ગણી ઊંચી આ પ્રતિમા નર્મદા જિલ્લામાં સાધુ બેટ પર બનાવાઈ છે. પીએમ મોદીએ આધુનિક ભારતના શિલ્પી, ભારત રત્ન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકર્પણ કર્યું. આ પ્રસંગે સરદાર પટેલના પરિવાજનો તથા તેમના વંશજોને પણ આમંત્રિત કરાયા છે, જેઓ આ કાર્યક્રમના સહભાગી બન્યા છે. આ પ્રસંગે માહોલ જોવા જેવો હતો. વાયુસેનાના વિમાનથી પ્રતિમા પર પુષ્પાંજલિ કરાઈ હતી. આ પ્રસંગે સમગ્ર સ્થળ ચીચીયારીઓથી ભરાઈ ગયું હતું. આ પ્રસંગને વધાવી લેવામાં આવ્યો હતો. દિવ્ય ભારતનું આ સપનુ આજે પૂરુ થયું છે. પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સરદાર પટેલના રાષ્ટ્રીય એક્તાના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશની એકતાના મંત્રને આગળ લઈ જતું તીર્થ આજે તૈયાર થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ પ્રતિમાની પૂજા કરી 
સ્ટેચ્યુના લોકાર્પણ બાદ પીએમ મોદીએ સરદારની પ્રતિમાના પગ પાસે જળને સૌથી પહેલા જળાભિષેક અને બાદમાં ફુલો અર્પણ કરીને તેમની પૂજા કરી હતી. 30 બ્રાહ્મણો દ્વારા સંસ્કૃતમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે સરદારની પ્રતિમાની પૂજાઅર્ચના કરાઈ હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા સંપન્ન કરાઈ હતી. આ માટે 30 નદીઓના પવિત્ર જળને કેવડીયા લાવવામાં આવ્યું હતું, જેના દ્વારા જળાભિષેક કરાયો હતો. આ પ્રસંગે એકતા અને દેશપ્રમે દર્શાવતા ત્રિરંગી ફુગ્ગા આકાશમાં છોડાયા હતા. ત્યાર બાદ તેમણે વ્યૂઈંગ ગેલેરીમાં જઈને ઉપરથી નીચેનો નજારો માણ્યો હતો. તેમની સાથે અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા. 


પીએમ મોદી પહોંચ્યા વેલી ઓફ ફ્લાવર્સ, જુઓ વીડિયો


આ પ્રતિમાને દેશને સમર્પિત કરતા પહેલા પીએમ મોદીએ આ સંબંધે એક ટ્વિટ પણ કરી હતી. તેમણે લખ્યું હતું કે, સરદાર પટેલની જન્મજયંતીના પ્રસંગે, સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. નર્મદા તટ પર સ્થિત આ પ્રતિમા મહાન સરદાર પેટલને સાચી શ્રદ્ધાંજલિ છે. 


આ પણ વાંચો : સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ગુજરાતમાં 'યુનિટી'


આ પ્રસંગે ગુજરાત પોલીસ, સશસ્ત્ર અને અર્ધસૈનિક દળોના મોટા સાંસ્કૃતિક અને સંગીત કાર્યક્રમોની પ્રસ્તુતિ કરશે. આ પ્રસંગે 29 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના કલાકારો નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ કરશે. આ દરમિયાન અનેક આકર્ષણ હશે, જેમાં 17 કિલોમીટર લાંબી ફ્લાવર ઓફ વેલીનું અનાવરણ કરશે. પ્રતિમા પાસે બનાવાયેલી ટેન્ટ સિટી અને સરદાર પટેલના જીવન પર આધારિત મ્યૂઝિયમને ખુલ્લુ મૂકાશે. પ્રતિમાની અંદરે 135 મીટરની ઊંચાઈએ વ્યૂઈંગ ગેલેરીમાં જઈને મુસાફરો ડેમ તથા આસપાસના પર્વતીય વિસ્તારનો નજારો માણી શકશે.