જાવેદ સૈયદ, અમદાવાદ: આજે વહેલી સવારે જમાલપુર શાક માર્કેટ અને એનઆઇડી વચ્ચે પસાર થતી સાબરમતી નદીમાં યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. બંનેએ રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધીને નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે રિવરફ્રન્ટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: સમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા


સાબરમતીમાંથી મળેલા બંનેના મૃતદેહ નદીના પાણામાં લાંબો સમય પડી રહ્યાં હોવાથી સફેદ પડી ગયો હતો. બંનેએ મોડી રાત્રે આપઘાત કર્યો હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે બંને પ્રેમીપંખીડા હોવાની શક્યતા છે. ત્યારે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતા યુવતી સાથે નદીમાં ઝંપલાવનાર યુવાનનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ મળી આવ્યું હતું.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...