Apple: એક સફરજન રોજ ખાવાથી ડોક્ટર પાસે જવું પડતું નથી... આ કહેવત તમે પણ હજારો વખત સાંભળી હશે. આ વાત કહીને તમને પણ તમારા માતા પિતાએ સફરજન ખવડાવ્યા હશે. આ વાત સાચી પણ છે. સફરજન વિટામીન સી, ફાઇબર, પોટેશિયમ સહિત દરેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Bottle Gourd: આવી દૂધી શરીર માટે ઝેર સમાન, ઉપયોગ કરતા પહેલા બરાબર ચેક કરજો


જો એક સ્વસ્થ વ્યક્તિ નિયમિત એક સફરજન રોજ ખાય તો તેની તબિયત ખરાબ થવાની સંભાવના ઘટી જતી હોય છે. પરંતુ જે રીતે દરેક વસ્તુની સારી અસર હોય છે તે રીતે ખરાબ અસર પણ હોય છે. સફરજનમાં કોઈ ખરાબી નથી પરંતુ 4 મેડિકલ કન્ડિશન એવી છે જેમાં સફરજન ખાવામાં આવે તો નુકસાન વધી જાય છે. શક્ય છે કે આ 4 મેડિકલ કન્ડિશનમાં સફરજન ખાવાથી તમારે તુરંત જ ડોક્ટર પાસે દોડવું પડે. તેથી આ 4 મેડિકલ કન્ડિશનમાં ભૂલથી પણ સફરજન ખાવું નહીં. 


સફરજન કોને કરે નુકસાન ?


આ પણ વાંચો: ઘરે બનાવી લો આ આયુર્વેદિક મિશ્રણ, બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા નહીં ખાવી પડે દવા


ખરાબ પાચન 


સફરજનમાં ફાઇબર વધારે હોય છે જે ડાઇઝેશન માટે સારું છે. પરંતુ જે લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય એટલે કે જેનું પાચન ખરાબ હોય તેમણે સફરજનનું સેવન ટાળવું જોઈએ. કારણ કે તેનાથી પાચન સંબંધિત સમસ્યા થઈ પણ શકે છે. નબળું પાચન હોય તેમને સફરજન ખાવાથી ગેસ, એસીડીટી, પેટમાં દુખાવો થઈ શકે છે. 


આ પણ વાંચો: Spice: આ 7 મસાલા અડધો ડઝનથી વધુ રોગની છે દવા, જાણો કયો મસાલો કયા રોગમાં ઉપયોગી


ડાયાબિટીસ 


ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સફરજન સારું નથી. સફરજનમાં સુગરનું પ્રમાણ વધારે હોય છે. ડાયાબિટીસના દર્દીઓ જો સફરજન ખાય તો બ્લડ સુગર લેવલ ઝડપથી વધી જાય છે. 


આ પણ વાંચો: Tulsi water: ખાલી પેટ તુલસીનું પાણી પીવાથી આ રોગ દવા વિના હંમેશ માટે થઈ જશે દૂર


સ્થૂળતા 


ઘણા ફ્રુટ એવા હોય છે જે વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે તેવી રીતે એવા ફળ પણ હોય છે જે વજન ઝડપથી વધારી શકે છે. સફરજન એવા ફળની કેટેગરીમાં આવે છે જેને ખાવાથી વજન વધી શકે છે. કારણ કે સફરજનમાં કેલરી અને સુગર બંને વધારે હોય છે. 


આ પણ વાંચો: સવારે ઉઠતાની સાથે જ ખાઈ લેવા પલાળેલા 5 અખરોટ, બેડ કોલેસ્ટ્રોલ સહિત આ સમસ્યા થશે દુર


એલર્જી 


ઘણા લોકોને સફરજનની એલર્જી પણ થઈ શકે છે. જે લોકોને એલર્જી હોય તેવો સફરજન ખાય તો ત્વચા પર ખંજવાળ આવવા લાગે છે ચહેરા પર સોજો આવી જાય છે અને ત્વચા પર રેશિસ પણ પડી જાય છે. આવું થતું હોય તો સફરજનનું સેવન બંધ કરી દેવું જોઈએ.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)