Black Pepper With Milk: આપણી રોજિંદી રસોઈમાં કેટલીક એવી વસ્તુઓનો ઉપયોગ થાય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આવો જ એક મસાલો છે મરી. મરીનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. જો મરીનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી ઘણી બધી બીમારીઓમાં ફાયદો થાય છે. મરીનો ઉપયોગ કરવાથી શરીરને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને સાથે જ અન્ય લાભ પણ થાય છે. તો ચાલો તમને જણાવીએ કે મરીનો ઉપયોગ કેવી રીતે કરવાથી સ્વાસ્થ્ય સમસ્યાથી મુક્તિ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધ અને કાળા મરીથી થતા ફાયદા


આ પણ વાંચો:


આ વસ્તુઓમાં હોય છે માંસ-મચ્છી કરતાં પણ વધારે પ્રોટીન, ખાવાથી શરીર રહે છે સશક્ત


રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે આ વસ્તુઓ, ખાતા હોય તો તુરંત કરી દો બંધ


Makka Roti Benefits: બીપીવાળાને થશે ફાયદો, આ દેશી રોટલો ખાશો તો કદી નહીં આવે ખાટલો


1. કાળા મરી હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કાળા મરીને દૂધમાં ઉમેરીને પીવાથી હાર્ટ સંબંધિત સમસ્યા દૂર થાય છે. તેનાથી રક્ત સાફ થાય છે.


2. જો તમને વારંવાર શરદી ઉધરસ થતા હોય તો વારંવાર દવા લેવાથી નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં નિયમિત રીતે હૂંફાળા દૂધમાં મરી ઉમેરીને પીવાથી શરદી ઉધરસ જેવી સમસ્યા થઈ કાયમી મુક્તિ મળશે.


3. કાળા મરીનો સેવન કરવાથી બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે. મરીના એવા ઘણા કમ્પાઉન્ડ હોય છે જે બ્લડ સુગરના દર્દી માટે ફાયદાકારક છે તેનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. 


4. દૂધમાં કાળા મરી ઉમેરીને સેવન કરવાથી હાડકા પણ મજબૂત રહે છે. દૂધમાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે. દૂધમાં કાળા મરી ઉમેરીને રોજ પીવાથી હાડકા લોઢા જેવા મજબૂત થઈ જાય છે અને સાંધાના દુખાવા પણ થતા નથી.


આ પણ વાંચો:


Muskmelon Seeds: આ બીજનો મુખવાસ તરીકે કરશો તો રહેશો સ્ટ્રેસ ફ્રી, શરીર રહેશે નિરોગી


બદલતા વાતાવરણના કારણે થતાં શરદી-ઉધરસ માટે નહીં દોડવું પડે દવા લેવા જો ખાશો આ વસ્તુ


એક નહીં અનેક બીમારીની દવા છે સફેદ ડુંગળી, આ સમસ્યામાં તો દવાની જેમ કરે છે કામ


5. દૂધમાં કાળા મરી ઉમેરીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. દૂધ અને મરીના મિશ્રણમાં એવા ઘણા પોષક તત્વો હોય છે જે ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે જેનાથી વાયરલ ઇન્ફેક્શનથી બચી શકાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)