Curry Leaves Benefits: આપણે જે રસોઈ બનાવીએ છીએ તેમાં અનેક એવી વસ્તુઓ પડે છે જે સ્વાસ્થ્ય માટે ઔષધનું કામ કરે છે. તેમાંથી કેટલીક વસ્તુઓ એવી છે જે પાચન ત્વચા અને વાળને સૌથી વધુ લાભ કરે છે. આમ તો દિવસ દરમિયાન આપણે આવી ઘણી વસ્તુઓનો રસોઈમાં ઉપયોગ કરીએ છીએ પરંતુ સૌથી વધુ ગુણકારી લીમડાના પાન છે. અહીં કડવા નહીં પરંતુ મીઠા લીમડાના પાનની વાત થઈ રહી છે. રસોઈમાં વઘારમાં જે લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે તે શિયાળામાં ખાવાથી શરીરને ગજબ ના ફાયદા કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીઠા લીમડાના પાનમાં વિટામિન સી, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયરન સહિતના પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. મીઠા લીમડાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ સવારે ખાલી પેટ ચાર પાંચ મીઠા લીમડાના પાનને સારી રીતે ચાવીને ખાવામાં આવે તો તમારા શરીરમાં તમે થોડા જ દિવસમાં આશ્ચર્યજનક ફેરફાર જોશો. 


આ પણ વાંચો: પેટના ગેસ અને અપચાની સમસ્યા 5 મિનિટમાં દુર કરશે આ પાચક ગોળી, આ રીતે બનાવો ઘરે


સવારે મીઠા લીમડાના પાન ખાવાથી થતા ફાયદા


મોર્નિંગ સિકનેસ


સવારે ઊઠીને મોર્નિંગ સિકનેસ અનુભવાતી હોય એટલે કે ઉલટી જેવું થતું હોય તો મીઠા લીમડાના પાન ચાવીને ખાઈ જવા. તેનાથી મોર્નિંગ સીકનેસ દૂર થઈ જશે.


પાચન શક્તિ


આયુર્વેદ અનુસાર પાચનશક્તિને સુધારવાનું કામ મીઠા લીમડાના પાન કરે છે. મીઠા લીમડાના પાન ડાઇઝેશન સંબંધિત સમસ્યાને દૂર કરે છે. સવારે ખાલી પેટ 4 થી 5 મીઠા લીમડાના પાન ચાવીને ખાઈ જશો તો પાચનતંત્ર સારી રીતે કામ કરતું રહેશે અને ગેસ, એસીડીટી, પેટ ફુલવું જેવી સમસ્યાઓ નહીં થાય.


આ પણ વાંચો: Skin Care: વધતી ઉંમરે પણ દેખાવું હોય યુવાન તો નિયમિત ખાવી આંબા હળદર, જાણો લાભ વિશે


ખરતા વાળ


જે લોકો ખરતા વાળ ની સમસ્યા ધરાવે છે તેમણે નિયમિત રીતે લીમડાના પાન ખાવા જોઈએ. લીમડાના પાન ચાવીને ખાવાથી ખરતા વાળની સમસ્યા દૂર થઈ શકે છે.


વજન ઓછું થાય છે


વજન ઓછું કરવા માટે રોજ ખાલી પેટ મીઠા લીમડાના પાન ચાવીને ખાવા જોઈએ. તેને ખાવાથી શરીરમાં જામેલા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. ખાલી પેટ મીઠા લીમડાના પાન ખાવાથી તમને દિવસભર એનર્જી પણ અનુભવાશે.


આ પણ વાંચો: તમને પણ જમ્યા પછી એલચી ખાવાની આદત છે? તો જાણી લો તેના ફાયદા અને નુકસાન વિશે


આંખ માટે ફાયદાકારક


મીઠા લીમડાના પાનમાં વિટામિન એ હોય છે જે આંખની રોશની વધારે છે. તેનું સેવન કરવાથી વધતી ઉંમરે જે આંખમાં નબળાઈ આવે છે તેનાથી બચી શકાય છે. આંખની દ્રષ્ટિએ સુધારવા માટે સવારે ખાલી પેટ મીઠા લીમડાના પાનને મધ સાથે ખાવા જોઈએ.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)