Brinjal: રીંગણ એવું શાક છે જેને ઘણા લોકો ખાવાનું પસંદ કરે છે. એમાં પણ રીંગણનું ભડથું નાના મોટા સૌ કોઈને ભાવે છે. પરંતુ શું તમે જાણો છો કે રીંગણ કેટલાક લોકો માટે ઝેર સમાન નુકસાનકારક છે ? આજે તમને પાંચ એવી સમસ્યા વિશે જણાવીએ જેમાં રીંગણ ખાવાથી હાલત બગડી જાય છે. આ પાંચ સમસ્યા હોય તે લોકોએ ક્યારેય રીંગણ ખાવા નહીં રીંગણ ખાવાથી તેમને ગંભીર નુકસાન થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ લક્ષણ જોવા મળે તો તુરંત લઈ લો બ્રેક, અસહ્ય વર્ક પ્રેશર સાબિત થાય છે જીવલેણ


ખરાબ પાચન 


જે લોકોને ગેસ, અપચો જેવી પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય તેમણે રીંગણ ખાવાનું ટાળવું જોઈએ. આવી સ્થિતિમાં રીંગણ ખાવાથી પાચનની સમસ્યા વધી શકે છે. તેથી જે લોકોનું પાચન ખરાબ હોય અથવા તો ગેસ કે એસિડિટી હોય તેમણે રીંગણા ખાવાનું ટાળવું જોઈએ 


આ પણ વાંચો: એક ઝાટકે શરીરમાંથી ગંદકી કાઢી નાખશે ચુનાનું પાણી, જાણો કેવી રીતે બનાવવું અને પીવું


એનિમિયા 


રક્તની ઉણપ એટલે કે એનિમિયા હોય તેવા લોકોએ પણ રીંગણ ખાવાથી બચવું જોઈએ. હેલ્થ એક્સપર્ટ અનુસાર રીંગણમાં એવા તત્વ હોય છે જે શરીરમાં આયરનનું અવશોષણ ઘટાડે છે. જેના કારણે રક્તની ઉણપની સમસ્યા ગંભીર બની શકે છે. જે લોકોને એનિમીયા હોય તેમણે રીંગણનું સેવન કરવું નહીં. 


આ પણ વાંચો: Weight Loss: આ 3 માંથી કોઈ 1 રીતે હિંગનો કરો ઉપયોગ, બરફની જેમ ઓગળવા લાગશે પેટની ચરબી


પથરી 


કિડનીની બીમારી હોય કે પથરી હોય તેમણે પણ રીંગણ ખાવાથી બચવું. રીંગણમાં ઓક્સાલાઈટ નામનું તત્વ હોય છે. કિડનીમાં પથરી બનવાનું મુખ્ય કારણ હોય છે. જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે રીંગણને ડાયટમાંથી દૂર રાખવા 


આ પણ વાંચો: Garlic: સરસવનું તેલ અને લસણ આ રીતે ઉપયોગમાં લેશો તો આ 5 બીમારીઓની દવા નહીં કરવી પડે


સાંધાનો દુખાવો 


સાંધાના દુખાવાની સમસ્યા હોય તેમણે રીંગણનું સેવન કરવું નહીં. હેલ્થ એક્સપર્ટ અનુસાર રીંગણમાં સોલાનાઇલ નામનું તત્વ હોય છે. તેના કારણે શરીરના સોજા અને સાંધાના દુખાવા વધી શકે છે. 


આ પણ વાંચો: Coffee: દિવસમાં 3 વખત આવી કોફી, 4 ગંભીર બીમારીઓ તમારાથી દુર રહેશે


એલર્જી 


ઘણા કેસમાં રીંગણ ખાવાથી એલર્જી પણ થઈ જાય છે રીંગણમાં રહેલા તત્વ ત્વચા પર ખંજવાળ, ગળામાં સોજો, શ્વાસ લેવામાં સમસ્યા, પેટમાં દુખાવો જેવી તકલીફો કરી શકે છે. રીંગણ ખાધા પછી જો આવું અનુભવાય તો ડોક્ટરનો સંપર્ક કરવો અને પછી રીંગણ ખાવાનું બંધ કરી દેવું.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)