Slim Body Secret : શરીરના જાડા પાતળા થવા પાછળ લોકો અનેક લોજિક કાઢે છે. ખાસ કરીને પાતળા શરીર માટે લોકો અનેક ધારણા બાંધતા હોય છે. કોઈ કહે છે કે, તેઓ વધુ ચાલે છે અને કસરત કરે છે તેથી પાતળા હોય છે. ત્યારે વૈજ્ઞાનિકોએ સ્લીમ બોડીનું રહસ્ય શોધી કાઢ્યુ છે. રિસર્ચમાં સામે આવ્યુ કે, પાતળા લોકો ન તો ઓછું ખાય છે, ન તો વધુ કસરત કરે છે. પરંતુ તેમની શરીરની રચના ખાસ પ્રકારની હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશની એક યુનિવર્સિટી દ્વારા એક સરવે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં પાતળા લોકો પર રિસર્ચ કરાયુ હતું. કેટલાક પાતળા લોકો પર બે અઠવાડિયા સુધી રિસર્ચ કરાયુ હતું. જેમાં જાણવા મળ્યુ કે, પાતળા લોકો 23 ટકા ઓછી શારીરિક પ્રવૃત્તિ કરે છે. વધુ સમય બેસી રહે છે. સામાન્ય લોકો કરતા 12 ટકા ઓછું ભોજન ખાય છે. પરંતુ તેમની પાચન શક્તિ એટલી ઝડપી હોય છે કે, તેમની કેલેરી ઝડપી બર્ન થાય છે. 


આ અભ્યાસના પરિણામો તબીબો માટે પણ ચોંકાવનારા છે. પાતળા લોકોનું મેટાબોલિઝમ સામાન્ય લોકો કરતા ઝડપી હોય છે. શરીરના ચરબીના આધારે તેમની પાચનક્રિયા અપેક્ષિત કરતા 22 ટકા વધુ છે. અતિશય ચયાપચય થાઈરોઈડ હોર્મોનના ઉચ્ચ સ્તર સાથે સંકળાયેલુ હતું, જે લોકોને ઓછી ભૂખ લાગે છે, અને તેમને સ્લિમ રાખવામાં મદદગાર સાબિત થાય છે. 


આ પણ વાંચો : 


પ્રજાસત્તાક દિનની પરેડમાં સ્ટંટ કરતા બાઈક પરથી પટકાયા મહિલા કર્મચારી, જુઓ Video


હીરાબાઈ લોબી : ગુજરાતના જાણવા જેવા મહિલા, સિદ્દી સમાજ માટે કામ કરી મેળવ્યો પદ્મશ્રી


તારણમાં જાણવા મળ્યુ કે, દુબળા લોકોએ સામાન્ય લોકો કરતા 12 ટકા ઓછું ભોજન ખાધું હતું. તેની સામે તેઓ વધુ સમય બેસી રહ્યા હતા. પરંતુ તેમનુ મેટાબોલિઝમ એટલુ ઝડપી કામ કરે છે કે ચરબી જલ્દી બર્ન થાય છે. ત્યારે આ પર સંશોધકોએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે, શું કુદરતી રીતે આ લોકોમાં મેટાબોલિઝમ વધુ હોય છે? 


સાથે જ તબીબોએ પણ જાણ્યુ કે, જે લોકો કુદરતી રીતે પાતળા છે, તેઓ ઓછા વજનને કારણે કસરત પણ કરતા નથી. ઓછું ખાય છે. આ જ કારણ છે કે તેમનું કોલેસ્ટ્રોલ લેવલ ઓછું હોય છે. 


સામાન્ય રીતે કહેવાય છે કે, પાતળા લોકોએ સક્રિય રહેવુ જોઈએ. ઓછું વજન જાળવી રાખવુ જોઈએ, પરંતુ વૈજ્ઞાનિકોએ મેળવેલા પરિણામો તેનાથી વિપરીત હતા. 


આ પણ વાંચો : નવસારીમાં ગણતંત્ર દિને પ્રતિમાને હાર પહેરાવતા સમયે બે કોર્પોરેટર સીડી પરથી પડ્યા