Paneer And Egg For Weight Loss: વર્તમાન સમયમાં એવા ઘણા લોકો છે જેઓ પોતાના વધતા વજનના કારણે ચિંતિત રહે છે, પરંતુ તમામ પ્રયત્નો કરવા છતાં પણ ઈચ્છિત પરિણામ મળતું નથી. વજનને નિયંત્રિત કરવા માટે કેટલાક લોકો ઇંડા અને પનીર ખાય છે, કારણ કે બંનેમાં કેલરી ઓછી હોય છે અને પ્રોટીન વધુ હોય છે. જ્યારે પ્રોટીન મોડું પચે છે, ત્યારે તે વજન ઘટાડવામાં મદદ કરે છે, આ સિવાય આ બંને વસ્તુઓ ભૂખ ઓછી કરતા હોર્મોન્સમાં વધારો કરે છે. આ સવાલ વારંવાર પૂછવામાં આવે છે કે શું પનીર અને ઈંડા એક સાથે ખાવાથી શરીરને કોઈ ફાયદો થાય છે, તો ચાલો જાણીએ આ પ્રશ્નનો જવાબ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પનીર કેવી રીતે ઘટાડે છે વજન?
પનીર આપણા માટે ઇન્સ્ટન્ટ એનર્જીનો સ્ત્રોત છે. જેથી આપણે રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ સરળતાથી કરી શકીએ છીએ, પરંતુ આપણે ધ્યાનમાં રાખવું પડશે કે પનીરની ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ ખરેખર વજન વધારે છે, ખાસ કરીને તેવી વાનગીઓ જેમાં તેલ અને મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓએ પનીર ટિક્કા જેવા હેલ્ધી ઓપ્શન પસંદ કરવા જોઈએ. દિવસમાં વધુ પડતું પનીર ખાવાનું ટાળો, કારણ કે તે ફાયદાને બદલે નુકસાન કરી શકે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube