Milk Ghee Benefits: સામાન્ય રીતે દરેક ઘરમાં દિવસમાં એકવાર તો દરેક વ્યક્તિ દૂધ પીવે છે. પરંતુ જો તમે તેમાં ઘી મિક્સ કરીને પીશો તો તેના ફાયદા અનેકગણા વધી જાય છે. દૂધ અને ઘીમાં ઘણા પોષક તત્વો હોય છે. જો આ બંનેનું એકસાથે સેવન કરવામાં આવે તો તે વધારે ફાયદો કરે છે.  ઘીમાં વિટામીન એ, વિટામીન કે, પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે. જ્યારે દૂધમાં વિટામિન ડી, પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય દૂધમાં ઘી ઉમેરીને પીવું એ વર્ષો જૂનો આયુર્વેદિક ઉપાય છે. જો તમે 15 દિવસ માટે દૂધમાં ઘી ઉમેરીને પીવાનું રાખો છો તો તેનાથી તમને નીચે દર્શાવ્યાનુસારના લાભ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ડાયાબિટીસના દર્દીઓની ચા-કોફીની મીઠી કરી શકે છે આ 3 વસ્તુઓ, ખાંડને બદલે થાય છે ઉપયોગ


વારંવાર એસિડિટી થતી હોય તો એકવાર ટ્રાય કરો આ ઘરેલુ નુસખો, મિનિટોમાં મટી જશે બળતરા


Health Tips: રોજ 5 કલાકથી ઓછી ઊંઘ કરનારને આ ગંભીર બીમારીઓ થવાનું વધે છે જોખમ


પાચન તંત્રમાં સુધરે છે.


દૂધમાં ઘી ઉમેરીને પીવાથી શરીરની અંદરના પાચન ઉત્સેચકો ઉત્તેજિત થાય છે અને પાચન શક્તિને વધે છે. આ ઉત્સેચકો ભારે ખોરાકને સરળતાથી પચાવે છે. તેનાથી કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.


અનિદ્રાની સમસ્યા દૂર થશે


ઘી તણાવ ઘટાડે છે અને મૂડને હળવો કરે છે. એક કપ ગરમ દૂધમાં 1 ચમચી ઘી ઉમેરીને પીશો તો તેનાથી જ્ઞાનતંતુઓ શાંત થાય છે. આ દૂધ પીધા પછી તમને સારી ઊંઘ આવે છે.


સાંધાનો દુખાવો


જો તમને લાંબા સમયથી સાંધામાં દુખાવો રહેતો હોય તો દૂધમાં ઘી મિક્સ કરીને નિયમિત સેવન કરો. દૂધમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને ઘીમાં વિટામિન કે તેનાથી તમારા હાડકાં મજબૂત થશે.


આ પણ વાંચો:


આ 5 આયુર્વેદિક ઉપાયો બેડ કોલેસ્ટ્રોલને શરીરમાંથી કરી દેશે બહાર, નહીં આવે હાર્ટ એટેક


બ્લડ સુગર લેવલ દવા વિના રહેશે કંટ્રોલમાં, રોજ સવારે ખાલી પેટ પીવું હળદર વાળું પાણી
 
ત્વચા પર આવશે ગ્લો


ઘી અને દૂધ બંને ત્વચામાં મોઈશ્ચર વધારે છે. આ ઉપરાંત ઘી ત્વચાને અંદરથી રીપેર કરે છે. દરરોજ સાંજે દૂધમાં ઘી ઉમેરી પીવાથી ત્વચાનો ગ્લો વધશે.


વજન ઘટે છે


રાત્રે સૂતા પહેલા દૂધમાં ઘી મિક્સ કરીને પીવાથી તમારું મેટાબોલિઝમ સ્વસ્થ રહેશે. તેનાથી વજન સંતુલિત રહેશે. જો તમારું વજન વધારે છે તો તમારું વજન ઘટશે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)