Turmeric water : શિયાળાની ઋતુ શરૂ થાય એટલે કેટલાક લોકો વારંવાર બીમાર પડવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. જો શિયાળામાં તમારે તમારી ઇમ્યુનિટી મજબૂત રાખવી હોય તો તમે હળદરના પાણીનું સેવન કરી શકો છો. હળદરનું પાણી તમને નાની મોટી સમસ્યાઓથી તો બચાવશે જ તેની સાથે શિયાળામાં થતા કફ અને ઉધરસ થી પણ મુક્તિ અપાવશે. જો તમે રોજ હળદરના પાણીનું સેવન કરો છો તો તેનાથી તમારી ઈમ્યુનિટી બુસ્ટ થશે અને શરીરને અંદરથી ગરમી મળશે કારણકે હળદરની તાસીર ગરમ હોય છે. તો ચાલો તમને જણાવીએ કે શિયાળામાં હળદરનું પાણી પીવાથી કેટલા ફાયદા થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 22 મહિના પછી સ્વરાશિમાં છે મંગળ, 3 રાશિના લોકો કમાશે કરોડો, સમાજમાં વધશે નામના


શરદી-ઉધરસ મટે છે


ઘણા લોકોને શિયાળા દરમિયાન શરદી ઉધરસ વધારે પ્રમાણમાં રહેતા હોય છે. તેવામાં હળદરનું પાણી પીવાથી તમને આ સમસ્યાથી રાહત મળી જશે. હળદરમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જે શરદી ઉધરસને મટાડે છે અને સાથે જ છાતીમાં જામેલા કફને પણ દૂર કરે છે તેનાથી શરીરને અંદરથી ગરમી મળે છે.


આ પણ વાંચો: દેવઉઠી એકાદશીના એક દિવસ પછી થાય છે તુલસી વિવાહ, જાણો ઘરે તુલસી વિવાહ કરવાની વિધિ


પાચનતંત્ર રહેશે સારું


હળદરમાં ફાઇબર હોય છે જે પાચન સંબંધિત સમસ્યાને દૂર કરે છે. શિયાળામાં ઘણી વખત કબજિયાત અને અપચો પણ થઈ જાય છે આવી સ્થિતિમાં રોજ હળદરનું પાણી પીવાથી તમને પેટ સંબંધિત સમસ્યાથી છુટકારો મળશે.


આ પણ વાંચો: આ રીતે પૂજા કરી પીપળાનું પાન રાખો પર્સમાં, નોટોથી ભરેલું રહેશે પર્સ, મળશે અઢળક ધન


ઇમ્યુનિટી થશે સ્ટ્રોંગ


હળદરમાં એવા તત્વ હોય છે જે ઇમ્યુનિટી વધારે છે અને મોસમી બીમારીઓથી શરીરનું રક્ષણ કરે છે. જો તમને શરદી, ઉધરસ અને તાવ વારંવાર આવતા હોય તો રોજ સવારે હળદરનું પાણી પીવાનું રાખો.


આ પણ વાંચો: Astro Tips: 5 શુભ યોગમાં ઉજવાશે દેવ ઉઠી એકાદશી, આ ઉપાય કરવાથી મેળવશો સુખ-સમૃદ્ધિ


વજન ઘટે છે


શિયાળામાં વજન ઘટાડવું પણ મુશ્કેલ કામ થઈ જાય છે. જો તમે શિયાળામાં હળદરનું પાણી પીવો છો તો વજન સરળતાથી ઘટાડી શકો છો કારણ કે તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.


આ પણ વાંચો: Budh Gochar: 27 નવેમ્બરથી આ રાશિઓનો ગોલ્ડન પીરિયડ થશે શરુ, ચારેતરફથી થશે ધન લાભ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)