Uric Acid: કેળાના ફૂલનો ઉપયોગ ભારતમાં અલગ અલગ પ્રકારના વ્યંજન બનાવવા માટે થાય છે. બંગાળ અને બિહારમાં કેળાના ફૂલથી પકોડા બનાવવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં કેળાના ફૂલનું શાક પણ બને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેળાના ફૂલમાં ફોસ્ફરસ કેલ્શિયમ પોટેશિયમ અને આયરન જેવા ઘણા બધા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. જો તમને યુરિક એસિડ ની સમસ્યા હોય અને યુરિક એસિડ સતત હાઇ રહેતું હોય તો આ ફૂલનું સેવન કરવું જોઈએ. આ ફૂલ ખાવાથી યુરિક એસિડ ની સમસ્યા અને કિડની સંબંધિત સમસ્યા દૂર થાય છે.


આ પણ વાંચો: શિયાળામાં આ ભાજીનો રસ પીવાથી શરીર બનશે લોખંડ જેવું મજબૂત, શરીરમાં રહેશે એનર્જી


કેળાના ફૂલના ફાયદા


1. કેળાના ફૂલમાં બે પ્રકારના ફાયબર હોય છે. એક ઘુલનશીલ અને બીજું અઘુલનશીલ. આ બંને મેટાબોલિક રેટ વધારે છે અને પ્યૂરીન પાચનને તીવ્ર કરે છે. તે પ્યૂરિનને મળ મારફતે શરીરમાંથી બહાર કરે છે. 


2. કેળાના ફૂલમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન એ, સી અને ઈ હોય છે. જે સાંધાના દુખાવાની સમસ્યા ઓછી કરે છે અને હાડકાનું ઘનત્વ વધારે છે. 


આ પણ વાંચો: શિયાળામાં કેસરવાળું દૂધ પીવાથી થતાં ફાયદા વિશે જાણીને દૂધ પીવાની કરી દેશો શરુઆત


3. હાડકાની અંદર જમા થતા ગેપ થવા લાગે તો તેમાં યુરિક એસિડ જામે છે. કેળાના ફૂલમાં એંટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે જે ઝડપથી કામ કરે છે અને દુખાવો મટાડે છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)