Palm Rubbing: રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
Palm Rubbing: ઠંડીની ઋતુમાં તમે અનેક લોકોને હથેળી રગડતા જોયા હશે. પરંતુ આ કામ રોજ કરવું જોઈએ. રોજ 2 મિનિટ સુધી હથેળી રગડવાથી સ્વાસ્થ્યને 5 અદ્ભુત ફાયદા થાય છે. આજે તમને આ 5 ફાયદા વિશે જણાવીએ.
Palm Rubbing: ઘણા લોકો સવારે જાગીને પોતાની હથેળી રગડતા જોવા મળે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ તેનાથી શરીરને થતી અસર અદ્ભુત છે. આમ કરવાથી શરીરને ગજબના ફાયદા થાય છે. મોટાભાગે લોકો ઠંડીથી બચવા માટે આ કામ કરે છે. પરંતુ હથેળી એકબીજા સાથે રોજ રગડવી જોઈએ. આજે તેનું કારણ તમને જણાવીએ.
આ પણ વાંચો: Honey: મધ સાથે ભુલથી પણ ન આવી આ 5 વસ્તુઓ, ખાવાથી શરીરમાં એસિડ ફેલાવા લાગે છે
હથેળી રગડવાથી શું થાય ?
હેલ્થ એક્સપર્ટ અનુસાર સવારના સમયે 2 મિનિટ માટે બંને હાથની હથેળી રગડવી જોઈએ. આમ કરવાથી શરીરમાં ગરમી આવે છે. હથેળીથી આંખને સેકવી જોઈએ. આમ કરવાથી ઊંઘ ઉડી જાય છે અને શરીરમાં એનર્જી બુસ્ટ થાય છે. આ સિવાય શરીરને 5 જબરદસ્ત ફાયદા થાય છે.
આ પણ વાંચો: Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ વધવાનું લક્ષણ હોય છે શરીરના આ 3 અંગોમાં થતો દુખાવો
હથેળી રગડવાથી થતા 5 ફાયદા
1. સવાર સવારમાં હથેળી એકબીજા સાથે રગડવાથી સ્ટ્રેસ અને તણાવ દુર થાય છે. હથેળી રગડવાથી બ્લડ સર્કુલેશન તીવ્ર થાય છે. તેનાથી બ્રેન શાંત અને રિલેક્સ થાય છે. આ સામાન્ય પ્રક્રિયા કરી લેવાથી મેંટલ સ્ટ્રેસથી બચી જવાય છે.
2. સવારે 2 થી 3 મિનિટ હથેળી રગડવાથી જે સેંસેશન થાય છે તેના કારણે માઈંડ એક્ટિવ થઈ જાય છે. તેના કારણે મગજ એક્શન મોડમાં આવી જાય છે. પરિણામે કામમાં ફોકસ વધે છે.
આ પણ વાંચો: રોજ ખાલી પેટ 1 દાડમના દાણા ખાવાનું કરો શરુ, બેડ કોલેસ્ટ્રોલ, બીપી રહેશે કંટ્રોલમાં
3. હથેળી એકબીજા સાથે રગડવાથી મૂડ બુસ્ટ થાય છે. ઝડપથી 2 મિનિટ માટે હથેળી એકબીજા સાથે રગડવાથી હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે. જેના કારણે ચિડીયાપણું ઓછું થાય છે.
4. જો તમને મોડી રાત સુધી રોજ ઊંઘ નથી આવતી તો આ એક્સરસાઈઝ આજે જ શરુ કરી દો. આ કામ કરવાથી માઈન્ડ રિલેક્સ રહે છે. આ કામ દિવસની સાથે રાત્રે પણ કરવું. તેનાથી ઊંઘ સારી આવે છે.
આ પણ વાંચો: Sprouted Methi: ડાયાબિટીસ, બેડ કોલેસ્ટ્રોલમાં દવાની જેમ જ અસર કરશે ફણગાવેલી મેથી
5. રોજ હથેળી રગડવાથી શરીરમાં ગરમી આવે છે. સાથે જ આંગળીઓનો દુખાવો પણ દુર થાય છે. અને ગભરામણની સમસ્યામાં રાહત મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)