Cauliflower Leaves Benefits: ઠંડીની મોસમાં લોકો ફુલાવરની સબ્જી સહિત તેના પકોડાનું સેવન કરતા હોય છે. પરંતુ મોટાભાગના લોકો એ વાતથી અજાણ છે કે, ફૂલાવર કરતા પણ તેના પાંદડામાં પોષક તત્વોની ભરમાર છે. જીં હા ફૂલાવરના પાંદડાનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી પહેલા તમને જણાવીએ તો, ફૂલાવરના પાંદડામાં પ્રોટીન રહેલું હોય છે. ઉપરાંત તેમાં ફાયબર, ફોસ્ફરસ અને કેલ્શિયમની મોટી માત્રા હોય છે. જેના નિયમિત સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ સિવાય ફૂલાવરના પાંદડામાં કાર્બોહાઇડ્રેટ હોય છે. જેનાથી શૂગર કંટ્રોલ રાખવામાં મદદ મળે છે. તમે ફૂલાવરના પાંદડા ડાયટમાં પણ શામેલ કરી શકો છો. 


આ પણ વાંચો:  દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ


એક સ્ટડી અનુસાર ફૂલાવરના પાંદડામાં વિટામીન A ભરપૂર માત્રામાં જોવા મળે છે. આના નિયમિત સેવનથી સીરમ રેટિનોલનું સ્તર વધે છે. આંખોને સ્વસ્થ રાખવાની સાથે સાથે તે રાતાંધળાપણાને રોકવામાં પણ ફાયદાકારક છે.


આ સિવાય જો વાત કરીએ ફૂલાવરના પાંદડામાં આયરન મોટી માત્રામાં હોય છે. જે લોહીની ઉણપ દૂર કરે છે. તેમજ તેમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ ગુણો હ્યદયની બિમારીઓથી બચાવે છે. સૌથી છેલ્લે તમને જણાવીએ તો. ફૂલાવરના પાંદડામાં કેલ્શિયમ પણ મોટી માત્રામાં હોય છે. જેના કારણે હાડકાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો જેવી સમસ્યામાં રાહત મળી શકે છે. 


આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો:
 આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી


એનિમિયા દૂર કરવા માટે ફૂલાવરના પાંદડાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. તેના 100 ગ્રામ પાંદડામાંથી 40 મિલિગ્રામ આયર્ન મળે છે. સંશોધનમાં, કોબીજના પાંદડા એનિમિયાની સારવારમાં અસરકારક હોવાનું જણાયું છે.


એક સ્ટડી અનુસાર ફૂલાવરના પાંદડા પ્રોટીન અને ખનિજોનો એક મહાન સ્ત્રોત છે, તે બાળકોના વિકાસમાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તેના ઉપયોગથી બાળકો માટે કુપોષણ ખૂબ જ ફાયદાકારક છે. તેના પાન ખાવાથી હિમોગ્લોબીનથી લઈને બાળકોનું વજન અને ઊંચાઈ વધે છે.


આ પણ વાંચો: Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
આ પણ વાંચો: Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
આ પણ વાંચો: Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube