નવી દિલ્હીઃ Goosebumps: રૂંવાડા ઉભા થવા આપણા શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે આપણે કોઈ ડર અનુભવાય છે, ખુશી થાય છે કે વધુ ઉત્સાહમાં જોઈએ ત્યારે શરીરના અંગમાં એક હોર્મોન નામક સરાયણ થૂટે છે. આ રસાયણ શરીરના કેટલાક તંત્ર જેમ કે માંસપેશિઓને ઢીલી કરી દે છે. આપણું શરીર ઘણીવાર ઉત્તેજના અને ગભરાટના સમયે ઢીલા પડી રહેલા સ્નાયુઓને કડક કરવાનો પ્રયાસ કરે છે, જે રૂંવાડા ઉબા થાય છે. જ્યારે આ પ્રકારની પ્રતિક્રિયા સામાન્ય હોય છે, ત્યારે પણ કેટલાક લોકો જ્યારે અચાનક સંવેદનશીલતા અનુભવે છે ત્યારે પણ તેમના રૂંવાડા ઉભા થઈ જાય છે. ચાલો તમને અહીં જણાવીએ કે રૂંવાડા ઉબા થવાનું કારણ શું છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂંવાડા ઉભા થવાનું કારણ
1. રૂંવાડા ઉબા થવા શરીરની એક સામાન્ય અને સ્વાભાવિક પ્રતિક્રિયા છે, જે ઉત્સાહ, ઉત્તેજના અથવા સંવેદનશીલતા જેવી સામાન્ય ભાવનાઓથી જોડાયેલી હોય છે. આ સિવાય તડકામાં ઉભા રહેવા, ઠંડી કે બદલાતા હવામાનને કારણે પણ રૂંવાડા ઉભા થતા હોય છે. આ સ્થિતિઓમાં આપણું શરીર પોતાનું તાપમાન બનાવી રાખવા માટે, રૂંવાડા ઉભા કરી દેતું હોય છે. 


2. જો તમારી સાથે રૂંવાટા ઉભા થવાની સમસ્યા વધુ થાય છે તો તમારે ડોક્ટરની મદદ લેવી જોઈએ. 


આ પણ વાંચોઃ High Blood Pressure ઘટાડી શકે છે આ આદતો, દવાઓ લેવાની નહીં પડે જરૂર


3. કેટલાક લોકો રૂંવાડા ઉભા થવાથી બચવા માટે શરીરના અંગોની માલિશના માધ્યમથી શરીરને ઢીલુ બનાવવાનો પ્રયાસ કરે છે. આ સિવાય ધ્યાન, સ્થિરતાથી વ્યાયામ, મેડિટેશન જેવી ટેકનીકનો ઉપયોગ કરે છે. આ તકનીકનો ઉપયોગ કરવાથી શરીરમાં એક શાંતિ બની રહે છે, જે રૂંવાડા ઉભા થતાં બચાવે છે. એટલે કે રૂંવાડા ઉભા થવા શરીરની સામાન્ય પ્રતિક્રિયા છે, જે ઉત્સાહ, ડર, સંવેદનશીલતા કે બદલાતા હવામાનની સાથે સામાન્ય છે. જો રૂંવાડા ઉબા થવાના કોઈ અન્ય લક્ષણ જોવા મળે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube