Home Remedy for Indigestion: રસોઈ બનાવવામાં અલગ અલગ પ્રકારના મસાલા અને તેલ ઘી નો ઉપયોગ થાય છે. રસોઈમાં ઉપયોગમાં આવતી આ વસ્તુઓ શરદી ઉધરસ જેવી નાની મોટી બીમારીઓથી રાહત અપાવે છે. સાથે જ આ વસ્તુઓ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જેના કારણે તે શરીર માટે લાભકારી છે. ખાસ કરીને તકલીફમાં રસોડામાં ઉપલબ્ધ કેટલીક વસ્તુઓ તુરંત જ અસર કરે છે. ખાધા પછી અપચો થતો હોય તો તમે આ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવાથી પાંચ જ મિનિટમાં પેટના દુખાવાથી રાહત થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ 5 તકલીફ હોય તેવા લોકોએ ન ખાવું લસણ, ખાવાથી ફાયદો નહીં થાય છે નુકસાન


સવાર, બપોર કે સાંજ Blood Sugar ટેસ્ટ કરવા માટે કયો સમય છે બેસ્ટ ? જાણો


બદામ સુકી ખાવી કે પલાળીને ? જાણો કેવી રીતે બદામ ખાવાથી થાય છે સૌથી વધુ લાભ
 


લવિંગ મટાડે છે અપચો


લવિંગમાં એન્ટિઓક્સિડન્ટ ની માત્રા વધારે હોય છે જે ઇમ્યુનિટી ને બુસ્ટ કરે છે. જે લોકોને અ પચાની તકલીફ હોય તેમણે એક ગ્રામ લવિંગમાં 3 ગ્રામ હરડે ચૂર્ણ મિક્સ કરીને ઉકાળો બનાવી લેવો. હવે આ ઉકાળામાં સિંધવ મીઠું ઉમેરીને પીવાથી અપચો મટે છે.


હળદરનો ઉપયોગ


અપચો મટાડવા માટે હળદર પણ અસરકારક છે. હળદર થી માત્ર અપચો જ નહીં પરંતુ ડાયાબિટીસ હૃદય રોગ જેવી સમસ્યામાં પણ લાભ થાય છે. હળદર નો ઉપયોગ કરવાથી અપચાંમાં પણ રાહત થાય છે. તેના માટે હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી હળદર ઉમેરીને પી શકો છો. નિયમિત રીતે હળદર પીવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ પણ મટે છે.