નવી દિલ્લીઃ જો તમે ભોજનમાં કોળાનો ઉપયોગ કરો છો, તો તેના બીજને કચરામાં ન નાખો કારણ કે તે ઇન્સ્યુલિનની માત્રાને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ બીજ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. સૂતાં પહેલા કોળાના બીજ ખાવાથી જલ્દી ઊંઘ આવે છે. તેનું સેવન કરવાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે. જે લોકો જાતીય સમસ્યાઓથી પરેશાન છે તેમના માટે પણ કોળાના બીજ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડોક્ટરની સલાહ મુજબ તમે તેનું નિયમિત સેવન કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોળાના બીજના ફાયદા:
સ્કિનની ઘણી સમસ્યાઓ દૂર થશે
વજન ઘટાડવામાં પણ મદદરૂપ
પેટમાં કૃમિની સમસ્યાથી બચાવ
શરીરમાં લોહીની ઉણપ નહીં રહે
મેંટલ હેલ્થ માટે અસરકારક
પેશાબમાં થતા ઇન્ફેક્શનથી બચાવ
યૂરિનરી ઇનકંટીનેંસ, યુટીઆઈ જેવી સમસ્યાઓ દૂર કરે
રોગપ્રતિકારક શક્તિ વધારવાનો અચૂક ઉપાય
હાઈ બ્લડ પ્રેશરને નોર્મલ રાખવામાં મદદ કરે


પુરુષો માટે ફાયદાકારક:
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે કોળાના બીજ પુરુષોના જાતીય સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એક રિસર્ચ મુજબ કોળાના બીજ ખાવાથી પુરૂષોની પ્રોસ્ટેટ હેલ્થ જળવાઈ રહે છે. તે તેમના જાતીય સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રોસ્ટેટ ગ્રંથિને મજબૂત કરવા અને હેલ્ધી હોર્મોનલ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે પુરુષોમાં કોળાના બીજનું સેવન કરવું જોઈએ. કોળાના બીજ ઝીંકથી ભરપૂર હોય છે, તેથી તેનું સેવન કરવાથી શુક્રાણુઓની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે.


કોળાના બીજ કયા સમયે ખાવા?
તમે નાસ્તામાં સૂકા શેકેલા કોળાના બીજ ખાઈ શકો છો. આ સિવાય તમે સૂતા પહેલા કોળાના બીજનું સેવન પણ કરી શકો છો. તેની અસર થોડા દિવસોમાં જોવા મળશે.

(Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.)