Apple Cider Vinegar: આજકાલ લોકો સ્વસ્થ જીવન જીવવા માટે અલગ અલગ ઉપાયો કરે છે. જેમાં કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો સમાવેશ દિનચર્ચામાં કરે છે. આવી જ એક વસ્તુ છે જેનું ચલણ હાલ વધ્યું છે. કેટલાક લોકો રોજ તેનો ઉપયોગ કરે છે. તો કેટલાક લોકો એવા છે જેમને તેના લાભ વિશે ખબર નથી હોતી. આ વસ્તુ છે એપલ સાઈડર વિનેગર. એપલ સાઈડર વિનેગર ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. આજે તમને એપલ સાઈડર વિનેગરના સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ગેસના કારણે પેટ ફુલીને થયું છે ફુગ્ગા જેવું ? આ 5 વસ્તુ ખાવાથી તુરંત મળશે આરામ


એપલ સાઈડર વિનેગરનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ તેનાથી અનેક સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. આજે તમને એપલ સાઈડર વિનેગરના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો વિશે જણાવીએ. એપલ સાઈડર વિનેગરમાં એસિટિક એસિડ અને અન્ય પોષકતત્વો હોય છે જે શરીરને બીમારીઓથી બચાવે છે. 


એપલ સાઈડર વિનેગરથી થતા ફાયદા


આ પણ વાંચો: આ 4 બીમારીમાં દવાની જેમ અસર કરે છે નાળિયેર પાણી, રોજ 1 ગ્લાસ પીવાથી રહેશે સ્વસ્થ


વજન ઘટાડે છે


એપલ સાઈડર વિનેગર મેટાબોલિઝમ સુધારે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેનાથી ભુખ ઓછી લાગે છે અને શરીરમાં બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે. 


પાચન સુધરે છે


જો તમારું પાચન તંત્ર ખરાબ રહેતું હોય અને તમને વારંવાર પેટ સંબંધિત સમસ્યા થતી હોય તો એપલ સાઈડર વિનેગર લેવાનું રાખો. તેનાથી પાચન એંજાઈમ સક્રીય થાય છે અને પાચન ક્રિયા સુધરે છે. એપલ સાઈડર વિનેગરનું સેવન કરવાથી કબજિયાત, એસિડીટી, અપચો જેવી સમસ્યાથી રાહત થાય છે. 


આ પણ વાંચો: Migraine: માઈગ્રેન માટે જવાબદાર આ 4 કારણોને દુર કરી દેશો તો દવા વિના મટી જશે દુખાવો


રોગપ્રતિકારક શક્તિ વધે છે


એપલ સાઈડર વિનેગરમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે અને સાથે જ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. 


ત્વચાને થતા લાભ


એપલ સાઈડર વિનેગરનું સેવન કરવાથી ત્વચા સાફ અને ચમકદાર થાય છે. તેનાથી ખીલ, ડાઘ અને કરચલીઓ ઓછી થવા લાગે છે. 


આ પણ વાંચો: Cashew Side Effects: રોજ ખાવ છો એક મુઠ્ઠી ભરીને કાજુ? તો જાણો તેનાથી થતા નુકસાન વિશે


ડાયાબિટીસમાં લાભકારી


એપલ સાઈડર વિનેગર ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી છે. તેનાથી બ્લડ સુગર કંટ્રોલ થાય છે. ખાસ તો એપલ સાઈડર વિનેગર ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે. 


હાર્ટ માટે લાભકારી


એપલ સાઈડર વિનેગર હાર્ટ માટે લાભકારી છે. એપલ સાઈડર વિનેગર બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને હાર્ટ સંબંધિત રોગ થવાનું જોખમ ઓછું કરે છે. 


આ પણ વાંચો: તમે 30 દિવસ ચા ન પીવો તો શરીરમાં થાય આ ફેરફાર, જાણીને જાતે નક્કી કરો ચા પીવી કે નહીં


એપલ સાઈડર વિનેગરનું સેવન કેવી રીતે કરવું ?


એપલ સાઈડર વિનેગરનું સેવન કરવાની ખાસ રીત હોય છે .રોજ સવારે એપલ સાઈડર વિનેગરનું સેવન કરવાનું હોય છે. જેના માટે 1 ગ્લાસ પાણીમાં બસ એક ચમચી એપલ સાઈડર વિનેગર ઉમેરી તેને પી લેવું. જો કે એપલ સાઈડર વિનેગરનું સેવન કરતાં પહેલા પોતાના ડોક્ટરની સલાહ એકવાર લઈ લેવી. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)