Food For Anemia: શરીરમાં લોહીની ઉણપ એક ગંભીર સમસ્યા છે. લોહીની ઉણપની સ્થિતિને એનિમીયા કહેવાય છે. આવી સ્થિતિમાં હિમોગ્લોબીન ખૂબ ઓછું રહે છે. આવી સ્થિતિ હોય તો રોજિંદા કામો કરવામાં પણ તકલીફ થાય છે. શરીરને જરૂરી માત્રામાં લોહી શરીરમાં ઉત્પન્ન થતું ન હોય ત્યારે આ સ્થિતિ સર્જાય છે. જો કોઈ વ્યક્તિનું હિમોગ્લોબીન સતત ઓછું રહેતું હોય તો તેમણે તુરંત કેટલીક વસ્તુઓનું સેવન શરુ કરી દેવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરીરમાં લોહીની ઉણપની સ્થિતિમાં ગોળ ખૂબ લાભકારી સાબિત થાય છે. ગોળ એક ગુણકારી વસ્તુ છે જેનો ઉપયોગ ખોરાકમાં પણ કરી શકાય છે. સૌથી સરળ રસ્તો છે કે તમે રોજીંદી રસોઈમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ શરુ કરો. આમ કરવાથી પણ તમને ગોળના લાભ મળવા લાગશે. આ સિવાય જો તમે રાત્રે ગોળ ખાશો તો સ્વાસ્થ્યને અદ્ભુત ફાયદા થશે.  


રાત્રે ગોળ ખાવાના ફાયદા


આ પણ વાંચો:


આ 5 બીમારી છે સાયલન્ટ કિલર, ખબર પણ નહીં પડે અને પહોંચી જશો લાસ્ટ સ્ટેજમાં


કારેલા સહિત આ 4 વસ્તુઓ બ્લડ સુગર કરે છે કંટ્રોલ, મેડિકલ સાયન્સે પણ માની આ વાત


Gum Bleeding: બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળે તો અપનાવો આ 3 માંથી કોઈ એક ઉપાય


1. એનિમિયા દૂર થાય છે
જો શરીરમાં આયર્નની ઉણપ હોય તો તે વ્યક્તિ એનિમિયાનો શિકાર બને છે. ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાથી ગોળ ખાવાના કારણે શરીરમાં લોહીની માત્રા યોગ્ય રીતે જળવાય છે.


2. વજન ઘટાડવામાં મદદરૂપ થય છે
જો તમે દરરોજ ખાંડનું સેવન કરો છો તો તમારું વજન ચોક્કસથી વધશે. તેથી રસોઈમાં ખાંડને બદલે ગોળ વાપરવાથી કેલેરી શરીરમાં ઓછી જાશે અને વજન પણ વધતું અટકશે. 


3. પાચનક્રિયા સ્વસ્થ રહેશે
જે લોકોને પેટ સંબંધિત સમસ્યા વારંવાર થતી હોય તેમની પાચનશક્તિ નબળી હોય છે. આવી સ્થિતિમાં તેમણે રાત્રે ભોજન પછી ગોળ ખાવો જ જોઈએ. ગોળ નિયમિત ખાવાથી કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થઈ જશે.



(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)