Weight Loss Breakfast: આજના સમયમાં મોટાભાગના લોકો પોતાના વધતા વજનને લઈને ચિંતામાં રહે છે. શિયાળામાં એવી વસ્તુઓ વધારે ખવાય છે જેના કારણે વજન વધે છે. તો ઉનાળા દરમિયાન એવા પીણા પીવામાં આવે છે જે વજન વધારવાનું કામ કરે છે. તેવામાં જો તમે વજન ઘટાડવા ઇચ્છતા હોય તો આજે તમને જણાવીએ કે આ કામ કેવી રીતે શક્ય બનશે. વજન ઘટાડવાની લઈને તમને પણ ચિંતા થતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી બસ તમારી ડાયેટ ઉપર થોડું ધ્યાન આપો. ખાસ કરીને સવારના નાસ્તામાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવાથી વજન સરળતાથી ઘટી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


મહિલાઓએ રોજ એક મુઠ્ઠી મખાના ખાવા જ જોઈએ.. શરીરને કરી શકે છે આટલા લાભ


બાળકોને ગરમીમાં ભુલથી પણ ન ખવડાવો આ 4 વસ્તુઓ, બાળકને કરી શકે છે બીમાર


તલના તેલમાં બનાવો રસોઈ, ડાયાબિટીસ સહિતની બીમારીઓથી થશે બચાવ


ઈંડા


ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં સોડિયમ, પોટેશિયમ, અને આયરન હોય છે. તે શરીરમાં એનર્જી વધારે છે. જો તમે સવારે નાસ્તામાં ઈંડા ખાવ છો તો લાંબા સમય સુધી તમને ભૂખ લાગતી નથી અને વજન કંટ્રોલમાં રહે છે.


ગ્રીન ટી


સવારના નાસ્તામાં ખાંડ અને દૂધવાળી ચાને બદલે ગ્રીન ટી પીવી ફાયદાકારક છે. ગ્રીન ટી પીવાથી ઘણા બધા ફાયદા થાય છે. તેમાંથી સૌથી મોટો ફાયદો છે બેલીફેટ ઘટાડવાનો. તેની સાથે સ્ટ્રેસ પણ દૂર થાય છે. ડાયાબિટીસમાં સુગર કંટ્રોલ કરવા માટે પણ ગ્રીન ટી મદદ કરે છે. ગ્રીન ટી સવારે નાસ્તામાં લેવાથી વજન પણ વધતું નથી.


દલિયા


દલિયા પોષક તત્વોથી ભરપૂર વસ્તુ છે સવારે નાસ્તામાં દલિયાનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે સાથે જ વજન કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)