Benefits Of Munaka: આજે અમે તમારા માટે સુકી દ્રાક્ષના ફાયદા લાવ્યા છીએ, હા તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સુકી દ્રાક્ષને મુનાક્કા કહેવામાં આવે છે. આ ડ્રાયફ્રૂટ સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. તેમાં કેટેચિન્સ નામનું એન્ટી-ઓક્સિડેન્ટ અને કેમ્ફેફરલ નામના ફ્લેવોનોઇડ હોય છે, જે આંતરડાની ગાંઠને દૂર કરવામાં મદદ કરે છે... આ ઉપરાંત તેમાં પોલિફેનોલિક, ફાયટોન્યુટ્રિએન્ટ્સ પણ હોય છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. સુકી દ્વાક્ષનું સેવન મર્યાદામાંકરો. વધારે સૂકા દ્રાક્ષ ખાવાથી ઝાડા થઈ શકે છે. જો તમે સ્તનપાન કરાવતા હોવ તો સુકી દ્રાક્ષનું સેવન કરતા પહેલા તમારા સ્ત્રીરોગચિકિત્સકની સલાહ લો. ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ લીધા વિના સુકી દ્વાક્ષ ન ખાવી જોઈએ. નિયમિત દ્રાક્ષને રાત્રે પલાળીને સવારે તેની પાણી પીને તેને ચાવી જવામાં આવે ખાલી પેટે તો લીવર, કીડની હાર્ટ બધુ રહેશે એકદમ હેલ્ધી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો સુકી દ્વાક્ષ ખાવાના ફાયદા-


1- આંખોની રોશની વધશે
પોલિફેનોલિક નામનું ફાયટોકેમિકલ કિસમિસમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે આંખોની દ્રષ્ટિ માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં હાજર અન્ય એન્ટીઓકિસડન્ટો અને પોષક તત્વો, આંખોને રાતના અંધાપો, ગ્લુકોમા અને મોતિયાથી બચાવવામાં મદદગાર છે.


2- હૃદયના આરોગ્ય માટે ફાયદાકારક
કિસમિસ હાર્ટના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ મોટા પ્રમાણમાં મળી આવે છે, જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદગાર છે. આ સિવાય તે કોલેસ્ટરોલને પણ અંકુશમાં રાખે છે અને હૃદયને ઘણી સમસ્યાઓથી બચાવે છે.


3- જાતીય અશક્તિ દૂર કરવામાં મદદગાર
સુકી દ્વાક્ષ પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક છે. સુકી દ્રાક્ષમાં હાજર એમિનો એસિડ જાતીય ખામીને દૂર કરે છે. પુરુષોએ ઉંઘતા પહેલા દરરોજ રાત્રે એક ગ્લાસ દૂધ સાથે સારી રીતે બાફેલી 8 થી 10 સુકી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. તે વિવાહિત જીવન માટે લાભદાયી છે.


4- વજન ઉતારવામાં મદદગાર
જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો પછી તમે નાસ્તા તરીકે કિસમિસનો ઉપયોગ કરી શકો છો. તેમાં કુદરતી ગ્લુકોઝ હોય છે, જે તમને પુષ્કળ શક્તિ આપે છે. તે તમને તમારી ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.


5- કેવી રીતે કિસમિસનું સેવન કરશો
સુકી દ્રાક્ષના ગુણધર્મોનો સંપૂર્ણ લાભ લેવા માટે, તેને દૂધ સાથે લેવાનું વધુ સારું છે.તમે રાત્રે સૂતા પહેલા એક કલાક પહેલા 8 થી 10 કિસમિસ દૂધમાં ઉકાળો.ઉકળ્યા પછી,દ્વાક્ષને ખાઈ લો અને ત્યારબાદ દૂધ પીવો..તમને આમાંથી ઘણો ફાયદો મળશે.આ સિવાય તેને પાણીમાં પલાળીને પણ ખાઈ શકાય છે...8 થી 10 કિસમિસને રાતોરાત પાણીમાં પલાળી રાખો.સવારે ખાલી પેટ ખાઓ અને તેનું પાણી પણ પીવો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)