Benefits of eating munakka: ડ્રાયફ્રૂટ્સનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સૂકા ફળોમાં દ્વાક્ષ એક આરોગ્યપ્રદ ખોરાક છે. પરંતુ, બહુ ઓછા લોકો જાણે છે કે સૂકી દ્રાક્ષ ખાવાથી 'ગુપ્ત' સમસ્યાનો ઈલાજ કરી શકાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે કિસમિસ અને સૂકી દ્રાક્ષ બે અલગ વસ્તુઓ છે. ચાલો જાણીએ સૂકી દ્રાક્ષ ખાવાના ફાયદા અને તેનું સેવન કરવાની સાચી રીત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરરોજ રાત્રે આટલી કિસમિસ ખાઓ
આયુર્વેદિક નિષ્ણાત ડૉ. અબરાર મુલતાનીના જણાવ્યા અનુસાર, દરરોજ રાત્રે સૂતા પહેલા નવશેકા દૂધ સાથે 5 સૂકી દ્રાક્ષખાઓ. નિષ્ણાતોના મતે મુનાક્કામાં એન્ટીઓક્સીડેન્ટ, ફાઈબર, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી વગેરે જેવા ઘણા પોષક તત્વો હોય છે.


મુનક્કા આ 'ગુપ્ત' રોગને મટાડે છે
લોકો કબજિયાતની સમસ્યાને ગુપ્ત રોગ ગણીને વાત કરતા પણ શરમાતા હોય છે. પરંતુ કબજિયાતની સારવાર ન કરવાથી પાઈલ્સ જેવી ગંભીર બીમારી થઈ શકે છે. કિસમિસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનમાં સુધારો કરે છે અને કબજિયાતથી બચાવે છે.


આ પણ વાંચોઃ કાનનો મેલ સાફ કરવા ભૂલથી પણ ના કરતા આવી 'સળી', નહીં તો ક્યારેય નહીં સાંભળી શકો કોઈના દિલની વાત!


સામાન્ય તાવ
કિસમિસ વિટામિન સી અને અન્ય વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શિયાળામાં સામાન્ય શરદી જેવી સમસ્યાઓથી રક્ષણ પૂરું પાડે છે. સૂકી દ્રાક્ષ પણ આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે, જે શરીરમાં લોહીના સ્તરને યોગ્ય રાખે છે


વજન ઘટાડવા માટે સૂકી દ્રાક્ષ
જેમ તમે જાણો છો કે સૂકી દ્રાક્ષમાં ફાઈબર હોય છે. આ ફાઇબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને બિનઆરોગ્યપ્રદ ખાવાથી બચાવે છે. આ કારણે તે વજન ઘટાડવામાં મદદ કરે છે.


સૂકી દ્રાક્ષને આહારમાં સામેલ કરવાથી ફાયદા થાય છે
જે લોકો નિયમિતપણે આહારમાં સૂકી દ્રાક્ષનો સમાવેશ કરે છે તેમને અન્ય ફાયદાઓ પણ મળે છે. ઉદાહરણ તરીકે, સ્વસ્થ ત્વચા, સ્વસ્થ અને મજબૂત દાંત, ડાયાબિટીસ માટે શ્રેષ્ઠ ખોરાક, હાઈ બ્લડ પ્રેશરથી રાહત વગેરે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube