નવી દિલ્લીઃ લીંબુ ખાતા સમયે અનેક સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. કેમ કે ઘણી એવી વસ્તુઓ છે જેની સાથે ભૂલથી પણ લીંબુ ન ખાવું જોઈએ. નહીં મોટું નુકસાન થાય છે. ઘણા લોકોને ખાટુ ખાવું વધારે પસંદ હોય છે. જેના કારણે તેઓ લગભગ દરેક નાસ્તામાં લીંબુ નાખે છે. આવા લોકોએ તે વાત જાણી લેવી જોઈએ કે તમે જે વસ્તુ સાથે લીંબુનું સેવન કરો છો તે કેટલું નુકસાનકારક છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે આ વસ્તુઓ સાથે ભૂલથી પણ લીંબુનું સેવન ન કરવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરમીમાં લોકો ખૂબ જ લીંબુ પાણી પીવે છે.છેલ્લા થોડા મહિનામાં કોરોના સામે ઈમ્યુનિટી વધારવા માટે લોકોએ લીંબુનું ખૂબ સેવન કર્યું અને અત્યારે પણ કરી જ રહ્યા છે. પણ અન્ય ખાદ્યપદાર્થોની જેમ લીંબુનું સેવન કરવામાં સાવધાની રાખવી જોઈએ. ઘરમાં કોઈ ઘરડા વ્યક્તિઓ હોય તો તેમને અમુક પ્રકારના ભોજન સાથે લીંબુ નાખીને ખાવાની ના પાડે છે. કેમ કે, તેમનું માનવું છે કે, કોમ્બિનેશન પાચન તંત્ર પર બહુ અસર કરે છે.


આ ચીજવસ્તુઓ સાથે ન કરવું લીંબુનું સેવન:


-દહીં સાથે લીંબુ ખાવું ન જોઈએ. કહેવાય છે કે, તેનાથી શરદી-તાવ અને સાયનસ જેવી એલર્જી થઈ શકે છે.


-માત્ર દહીં જ નહીં પણ તમામ ડેરી પ્રોડક્ટ્સ સાથે લીંબુ ખાવાથી શરીર પર ઉંધી અસર થાય છે.


-ફળોમાં પપૈયા સાથે લીંબુનું સેવન ન કરવું જોઈએ.


-દૂધ સાથે ભૂલખી પણ ખાટી ચીજવસ્તુનું સેવન ન કરવું જોઈએ.


-ટમેટા સાથે પણ ક્યારેય લીંબુનું સેવન ન કરવું જોઈએ.


લીંબુ પાણીનો ફાયદો:
જો તમને કબજિયાતની સમસ્યા છે તો લીંબુ પાણી તમારા માટે ખૂબ લાભદાયી છે. દરરોજ સવારે ગરમ પાણીમા લીંબુ નાખીને પીવો જેથી દિવસભર કબજિયાતની સમસ્યામાંથી રાહત મળશે...

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.