Chest Pain Causes: છાતીમાં દુખાવાની વાત આવે એટલે મનમાં હાર્ટ અટેકનો જ વિચાર આવે. જોકે દર વખતે છાતીમાં દુખાવો હાર્ટ એટેકના કારણે જ થતો હોય તેવું જરૂરી નથી. છાતીમાં અચાનક તીવ્ર દુખાવો થવો અન્ય ગંભીર સમસ્યાનું પણ લક્ષણ હોઈ શકે છે. પરંતુ 99% લોકો છાતીના દુખાવાને હાર્ટ અટેક સાથે જોડીને જ જુએ છે. છાતીમાં દુખાવો થવાનું અન્ય ગંભીર કારણ પણ હોઈ શકે છે. આ સમસ્યા પણ એટલી ગંભીર છે કે જો સમયસર તેના લક્ષણોને ઓળખીને સારવાર કરાવવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી આ બીમારી વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: વાસી મોઢે પાણી પીવાના આ ફાયદા વિશે જાણશો તો સવારે જાગીને પાણીનો ગ્લાસ હાથમાં લેશો


કોસ્ટોકોન્ડ્રાઈટિસનું લક્ષણ છાતીમાં દુખાવો 


માત્ર હાર્ટ અટેક હોય ત્યારે જ છાતીમાં દુખે તેવું નથી. કોસ્ટોકોન્ડ્રાઈટિસ પણ એવી બીમારી છે જેમાં અચાનક છાતીમાં તીવ્ર દુખાવો અનુભવાય છે. આ બીમારી છાતીના હાડકા સંબંધિત છે. આ બીમારી થઈ હોય તો પાંસળા અને બ્રેસ્ટ બોનની વચ્ચેના ભાગમાં દુખાવો થવા લાગે છે. આ એક ગંભીર બીમારી છે જેની સારવાર પણ સમયસર શરૂ કરવી ખૂબ જ જરૂરી છે. 


આ પણ વાંચો: હીટ સ્ટ્રોકની સ્થિતિ સર્જાય તો વ્યક્તિનો જીવ બચાવવા આ રીતે આપો પ્રાથમિક સારવાર


કોસ્ટોકોન્ડ્રાઈટિસ થવાના કારણ 


આ બીમારી થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. છાતીમાં ઇન્ફેક્શન થઈ ગયું હોય, છાતીમાં ઇજા થઈ હોય અથવા તો લાંબા સમય સુધી ઉધરસ રહી હોય તો આ સમસ્યા થઈ શકે છે. આ સિવાય વધારે જોર લગાડવાથી સ્નાયુ ખેંચાઈ જાય તો પણ આ સમસ્યા થવાની સંભાવના વધી જાય છે. 


આ પણ વાંચો: Massage: રાત્રે સૂતા પહેલા પગના તળીયામાં માલિશ કરવાથી આ 5 સમસ્યા દવા વિના થાય છે દુર


કોસ્ટોકોન્ડ્રાઈટિસના લક્ષણો 


આ સમસ્યામાં છાતીમાં તીવ્ર દુખાવો અનુભવાય છે. ઘણી વખત ઉધરસ આવે ત્યારે અને ઝડપથી ચાલતા હોય ત્યારે પણ છાતીનો દુખાવો વધી જતો હોય છે. આ બીમારીના અન્ય લક્ષણ દરેક વ્યક્તિમાં અલગ અલગ જોવા મળે છે. પરંતુ સામાન્ય લક્ષણ એ છે કે તેમાં છાતીમાં દુખાવાનો અનુભવ થાય છે. 


આ પણ વાંચો: Constipation: કબજિયાતનો રામબાણ ઈલાજ છે આ 5 વસ્તુ, રાત્રે ખાવ અને સવારે પેટ સાફ


જો ઉપર જણાવ્યા અનુસારની સમસ્યા તમને પણ રહેતી હોય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો. સાથે જ સ્વાસ્થ્ય સારું રાખવા માટે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવું અને રોજ એક્સરસાઇઝ કરવાનું રાખવું.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)