Sabudana Side Effect: તમે પણ તમારા ઘરમાં ઉપવાસ દરમિયાન સાબુદાણાની ખીચડી, સાબુદાણાની ખીર, સાબુદાણાના વડા અને સાબુદાણાના પાપડ જેવી ટેસ્ટી વાનગીઓ ખાધી જ હશે. સાબુદાણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પરંતુ દરેક વ્યક્તિ માટે સાબુદાણા સરખું જ ફાયદો કરે તે જરૂરી નથી. સાબુદાણા વધારે ખાવામાં આવે તો સ્વાસ્થ્યને નુકસાન પણ થાય છે. આ સિવાય કેટલીક એવી મેડિકલ કન્ડિશન પણ છે જેમાં સાબુદાણા ખાવાથી તકલીફ વધી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બીમારીઓમાં ન ખાવા સાબુદાણા


આ પણ વાંચો:


સોપારી જેવી દેખાતી આ વસ્તુ ખરાબ મૂડને તુરંત કરે ઠીક, જાણો ઉપયોગ કરવાની રીત અને ફાયદા


ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢી નાખશે આ ઘરેલુ વસ્તુઓ, ટ્રાય કરી જુઓ એકવાર


Eye Flu: જો તમને કે પરિવારમાં કોઈને પણ આવી હોય આંખ તો તુરંત અજમાવો આ ઘરેલુ નુસખા


ડાયાબિટીસ


ડાયાબિટીસના દર્દીઓએ સાબુદાણા ખાવાનું ટાળવું જોઈએ કારણકે તેનાથી બ્લડ સુગર લેવલ વધી જાય છે અને દર્દીની તબિયત પણ બગડી શકે છે.


લો બ્લડ પ્રેશર


લો બ્લડ પ્રેશરમાં પણ લોકોએ સાબુદાણા ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે તેનાથી લોબ્લેટ પ્રેસરના દર્દીની સમસ્યા વધી શકે છે.


હાર્ટ પ્રોબ્લેમ


જે લોકોને હૃદય સંબંધિત બીમારી હોય તેમણે પણ સાબુદાણા ખાવાનું ટાળવું જોઈએ તેનાથી બ્લડ પ્રેશર મેનેજ કરવાનું મુશ્કેલ થાય છે અને સાથે જ હૃદય સંબંધિત સમસ્યા વધી શકે છે.


સ્થૂળતા


સ્થૂળતાથી પરેશાન લોકોએ પણ સાબુદાણા ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે સાબુદાણામાં કેલેરી અને સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે જે વજન વધવાનું કારણ બની શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)