ફળ અને શાકભાજીમાં ઢગલો પોષક તત્વો હોય છે. જે આપણા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. તેમાંથી અનેક ફળ એવા પણ છે જેના બીજ તેના કરતા પણ વધુ ફાયદાકારક હોય છે. આ બીજનું નિયમિત સેવન સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક હોય છે. ખાસ કરીને પરિણીત પુરુષો માટે ખુબ ફાયદાકારક રહે છે. તેના સેવનથી સ્વાસ્થ્ય સારું રહે છે. પુરુષોની ફર્ટિલિટી બૂસ્ટ થાય છે. પતિ અને પત્નીના સંબંધોમાં પ્રેમ વધે છે. તે હાડકાને પણ મજબૂત કરે છે. આ ફળને લોકો કોળા તરીકે ઓળખે છે. તેના બીજમાં એન્ટીઓક્ટીડેન્ટ, હેલ્ધી ફેટ અને ખનિજથી ભરપૂર હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પોષક તત્વોથી ભરપૂર હોય છે બીજ
કોળાના બીજમાં પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ, બીટા કેરોટીન, સેલેનિયમ, એન્ટીઓક્સીડેન્ટ, આયર્ન, ફાઈબર, પ્રોટીન, ફોસ્ફરસ, અને મેગ્નિઝ ભરપૂર મળી આવે છે. તે પુરુષો માટે કોઈ રામબાણથી જરાય કમ નથી. તે હાડકાથી લઈને ડાયાબિટીસ જેવી બીમારીઓથી બચાવે છે. આ સાથે જ ફર્ટિલિટી પાવરને વધારે છે. આ બીજથી સ્વાસ્થ્યને મળનારા ફાયદા વિશે જાણો. 


હાડકા માટે ફાયદાકારક
કોળાના બીજમાં મેગ્નેશીયમ ભરપૂર મળી આવે છે. તે હાડકાને અંદરથી મજબૂત કરવાની સાથે સાથે ડેન્સિટી વધારે છે. આ સાથે જ પુરુષો અને મહિલાઓમાં ઓસ્ટિયોપોરોસિસના જોખમને ઘટાડે છે. આ બીજ વજન ઓછું કરવાની સાથે જ પાચનક્રિયાને ઠીક કરવામાં પણ લાભકારક રહે છે. 


પ્રોસ્ટ્રેટ કેન્સરથી બચાવે
કોળાના બી પ્રોસ્ટેટ કેન્સરથી પણ બચાવે છે. તેમાં રહેલા ઝિંક, ફાઈબર અને સેલેનિયમ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે જે ફ્રી સેલને ડેમેજ કરે છે. આ સાથે જ પ્રોસ્ટ્રેટ કેન્સરથી બચાવે છે. 


ઈમ્યુનિટીને કરે છે બુસ્ટ
કોળાના બીજમાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. જે શરદી ઉધરસને દૂર કરવાથી લઈને ઈમ્યુનિટીને બૂસ્ટ કરે છે. આ  બીમારીઓને શરીરથી દૂર રાખે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. 


ડાયાબિટીસને પણ કંટ્રોલમાં રાખે છે
કોળાના બીજમાં ફાઈબર ભરપૂર હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખુબ ફાયદાકરક રહે છે. તે બ્લડશુગરને સરળતાથી કંટ્રોલ કરે છે અને આ સાથે જ ઓવર ઈટિંગથી બચાવે છે. 


ફર્ટિલિટીની સાથે એનર્જી લેવલ બુસ્ટ કરે છે
કોળાના બીજમાં મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ મળી આવે છે. તે પુરુષોમાં ફર્ટિલિટી પાવર વધારે છે. તે ખાવાથી સ્ટેમિના અને સ્પર્મ કાઉન્ટ વધે છે. શરીરમાં શુક્રાણુઓની સંખ્યાને વધારે છે. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)