નવી દિલ્લીઃ શું તમે જાણો છો આ શાકભાજીની છાલમાં હોય છે ભરપુર પોષક તત્વો? આ શાક ખાવાથી તમને થાય છે મોટા ફાયદા. ઘણીવાર આપણાં શરીરમાં ઘણાં પોષક તત્વોની ઘટ પડતી હોય છે. જો તમે આ શાકભાજી રેગ્યુલર ખાશો તો તમારી સમસ્યા કાયમ માટે દુર થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છાલની સાથે શાકભાજી ની ખોરાક તરીકે લેવી તમને થોડું  વિચિત્ર લાગી શકે છે. પણ અમુક શાકભાજી ની છાલમાં ભરપૂર પોષણ હોય છે. આ શાકભાજી ની છાલ સાથે તમે રસોઇ બનાવો છો તો તમને જરૂર ફાયદો થશે. શાકભાજી ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. અને શાકભાજી ની છાલ માં ઘણી બધી માત્રામાં ફાઈબર હોય છે. જે આપણી પાચનક્રિયાને સારી રાખવામાં મદદ કરે છે.


બટાટા-
બટાટાની છાલ માં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ના તત્વો હોય છે. જેથી ચયાપચન ની ક્રિયામાં વધારો થાય છે. અને તમારું બ્લડ સુગર પણ નિયંત્રિત માં રહે છે. જો તમે આની છાલ ઉતારીને તેની રસોઈ બનાવે છે તો તમને પૂરતું પોષણ મળતું નથી.


કોળુ(PUMPKIN)-
કોળુ નુ શાક બનાવતા સમયે શાક ની છાલ ને ક્યારેય પણ કાઢો નહીં. આ શાકની છાલને કાઢવાથી આર્યન, વિટામિન-A,પોટેશિયમની ભરપૂર માત્રા હોય છે. જે શરીર માટે ખૂબ જરૂરી હોય છે.


ટામેટા-
ટામેટા નો ઉપયોગ વધારે પડતો શાક માં નાખવા માટે થતો હોય છે. એની છાલમાં ભરપૂર માત્રામાં પોષણ હોય છે. જેથી શાક ની રસોઈ બનાવતા સમયે તેની છાલને ઉતારવાની ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ.


કાકડી-
કાકડી ની છાલ ને કાઢવાથી 50 ટકા જેટલુ પોષણ ઘણી જાય છે. તમે તેનો ઉપયોગ સલાડ ને બનાવતી વખતે કરો ત્યારે છાલને ક્યારેય પણ કાઢો નહીં. જેથી તેના સ્વાદ પર તેનો કોઈ ફરક પડશે નહીં. અને તેમને તેનું સંપૂર્ણ પોષણ મળી રહેશે.