Joint Pain Remedies: સાંધાના દુખાવાની સમસ્યા શિયાળામાં વધી જતી હોય છે. આજના સમયમાં તો યુવા વયમાં લોકોને સાંધાના દુખાવા રહે છે. સાંધાના દુખાવાના કારણ અલગ અલગ હોય છે. તેમાં મુખ્ય હોય છે વિટામિન ડીની ઉણપ. આ ઉણપને દુર કરીને પણ તમે સાંધાના દુખાવાથી મુક્તિ મેળવી શકો છો. આ સિવાય શિયાળાની ઋતુમાં સરળતાથી મળતા આ 3 લીલા પાનનું સેવન કરવાથી પણ સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે. આ પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને દરરોજ તેનું સેવન કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Uric Acid: શરીરમાંથી યૂરિક એસિડને બહાર કરી દેશે આ પાણી, ખાલી પેટ પીવું સૌથી બેસ્ટ


કોથમીર 
કોથમીરનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. લોકો તેની ચટણી પણ ખાતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કોથમીર તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી સાંધાનો દુખાવો અને સોજા ઓછા થઈ શકે છે અને સાથે જ તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.


આ પણ વાંચો: 3 આયુર્વેદિક જડીબુટ્ટીથી મિનિટોમાં દુર થશે માથાનો દુખાવો, હળવું થઈ જશે ભારે માથું


એલોવેરા 
એલોવેરા માત્ર સ્કીન કેરમાં ઉપયોગી છે તેવું નથી તે સાંધાના દુખાવાથી પણ રાહત આપે છે. એલોવેરા ઘૂંટણનો દુખાવો અને સોજો ઓછો કરવામાં પણ મદદરૂપ છે. જો ઘૂંટણનો દુખાવો વધારે હોય તો એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા દુખાવાથી રાહત આપે છે. 


આ પણ વાંચો: Heart Attack: આ 3 વાતોનું રાખશો રોજ ધ્યાન તો હાર્ટ એટેકનું જોખમ થશે ઓછું


ફુદીનાના પાન
ફુદીનાના પાનનો ઉપયોગ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ અને ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે. ઘૂંટણના દુખાવામાં તે ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)