How To Make Garlic Water: લસણ એક એવો મસાલો છે જે ગરમ તાસીર ધરાવે છે. આયુર્વેદમાં તેને ઔષધીય વનસ્પતિની જડીબુટીની સંજ્ઞા આપવામાં આવી છે. લસણમાં એવા ગુણ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. લસણનો ઉપયોગ સામાન્ય રીતે ભોજનમાં સ્વાદ માટે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે લસણ માત્ર સ્વાદ જ નથી આપતું પણ તમારા સ્વાસ્થ્યને ઘણા સારા ફાયદા પણ આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Year Ender 2023: આ છે 2023 ના બેસ્ટ કેમેરા ફોન, કિંમત ફક્ત 30,000 રૂપિયા
Viral Video: લગ્નની પહેલી રાતનો વિડીયો જોઇ લોકોએ કહ્યું- 'NEXT PART ક્યારે આવશે...'


આજે અમે તમારા માટે લસણનું પાણી બનાવવાની રીત લઈને આવ્યા છીએ. લસણના પાણીનું નિયમિત સેવન તમારા શરીરમાં સંગ્રહિત ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. તે બેલી ફેટ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં ખૂબ જ ઓછી માત્રામાં કેલેરી હોય છે. તે પાચન તંત્રને દુરસ્ત રાખે છે. તો ચાલો જાણીએ કે લસણનું પાણી કેવી રીતે બનાવવું..


Kalatmak Yog 2023: 2 દિવસમાં મળશે મોટી ખુશખબરી, ચંદ્રમા-શુક્રની કૃપાથી થશે માલામાલ
આર્થિક તંગીને દૂર કરવા માટે નવા વર્ષે કરો આ આસાન ઉપાય, ધન-સંપત્તિમાં થશે વધારો


લસણનું પાણી બનાવવા માટે જરૂરી સામગ્રી-
લસણની કળી 2
જીરું 1 ચમચી
કાળું મીઠું સ્વાદ મુજબ
ચાટ મસાલો 1/2 ચમચી
લાલ મરચું પાવડર 1 ચમચી


ઘરવાળાએ ભોજન કરવું હોય તો છોકરીને પૂરી દેવી પડે છે રૂમમાં, એવો થયો છે દુર્લભ રોગ
Sunlight Benefits: જાણો સવારના કૂણા તડકાના ફાયદા, વિટામિન ડી ઉણપ થશે દૂર


લસણનું પાણી કેવી રીતે બનાવવું? 
લસણનું પાણી બનાવવા માટે સૌથી પહેલા લસણની કળીઓ લો.
પછી તેને છોલીને કાપીને અલગ રાખો.
આ પછી એક નોન સ્ટિક તવાને ગેસ પર રાખીને ગરમ કરો.
પછી તેમાં 1 ટેબલસ્પૂન જીરું નાખીને બરાબર ફ્રાય કરો.
આ પછી ગ્રાઇન્ડરનાં બરણીમાં લસણ, જીરું, કાળું મીઠું, ચાટ મસાલો અને લાલ મરચું પાવડર નાખો.
પછી આ બધી વસ્તુઓને સ્મૂધ થાય ત્યાં સુધી પીસી લો.
આ પછી, એક કડાઈમાં લગભગ 500 મિલી પાણી રેડવું.
પછી તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
હવે તમારું હેલ્ધી લસણનું પાણી તૈયાર છે.


Chanakya Niti: આ લોકોના હાથમાં ક્યારેય ટકતા નથી રૂપિયા, આખી જીંદગી રહે છે હેરાન-પરેશાન
કુંભ બાદ ક્યાં જતા રહે છે નાગા સાધુ? તેમના જીવનના આ 'રહસ્ય' ને પણ જાણો


(Disclaimer:અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ 4 બિઝનેસ બનાવી શકે છે માલામાલ! મોટું રોકાણ કરવું હોય તો જાણી લો!
120 વૃક્ષો, 12 વર્ષની ધીરજ, કરોડપતિ બનવાની છે ઇકો-ફ્રેન્ડલી રીત: 1 લાખનું કરો રોકાણ