ઝી બ્યૂરો, અમદાવાદઃ આમળાનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિના બૂસ્ટર તરીકે થાય છે. કારણ તેમાં વિટામિન Cની માત્રા વધારે છે. આ નાના ફળ ખાવાથી હાજમો પણ સારો રહે છે. અન્ય ફાયદાઓ વિશે વાત કરીએ તો તે આપણી ત્વચા અને વાળ માટે રામબાણનું કામ કરે છે. આમળા દરેક ઘરમાં જોવા મળે છે. તબીબો પણ સ્વસ્થ રહેવા માટે આમળાનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. કારણ કે આમળામાં ખૂબ વધુ પ્રમાણમાં વિટામિન C હોય છે. જે શરીર માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. પરંતુ અમે તમને કેટલીક ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે આમળાનો ઉપયોગ કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે કોઈ જાદુ કરતા ઓછું નહીં હોય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમળામાં છે રોગપ્રતિકારક શક્તિ
આમળાનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિના બૂસ્ટર તરીકે કરી શકાય છે. કારણ તેમાં વિટામિન Cની માત્રા વધારે હોય છે. આ નાના ફળ ખાવાથી હાજમો પણ સારો રહે છે. અન્ય ફાયદાઓ વિશે વાત કર્યે તો તે આપણી ત્વચા અને વાળ માટે સારૂ કામ કરે છે. આ જ કારણ છે કે વૈજ્ઞાનિકો અને આયુર્વેદચાર્ય બંને આમળાની ગુણવત્તાને માને છે.


આમળાનો ઉપયોગ આ રીતે કરો
1. આમળાની ચટની
કાચા આમળળા ખાવા મુશ્કેલ છે. આમળાને કોથમીર, ફુદીનો અને લસણ સાથે પીસીને અને તેની ચટણી તૈયાર કરો અને સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુ નાખીને તેને ભોજનમાં ઉમેરો. જો તમે આમળાની ચટણી બનાવીને ખાશો તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. ઉપરાંત, તમારા ભોજનનો સ્વાદ પણ બન્યો રહેશે.


2. આમળાનો રસ
આમળાનો રસ શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેથી, તમે દરરોજ આમળાના રસનું સેવન કરી શકો છો. આમળાના રસથી શરદી અને ખાંસીમાં પણ ત્વરિત રાહત મળે છે. તમે આમળાના રસમાં પાણી ઉમેરી શકો છો અને તેનાથી શરીરને ફાયદો થાય છે.


3. કચુંબરમાં આમળા ઉમેરો
તમે ખાતી વખતે તમારા કચુંબરમાં આમળા પણ ઉમેરી શકો છો. તે તમારા ખાદ્યપદાર્થોની સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થશે. તેથી, તમે સલાડ તરીકે આમળાનું સેવન પણ કરી શકો છો.


4. આમળાની હર્બલ ટી
આમળાની હર્બલ ટી પણ ખૂબ ફાયદાકારક છે. આમળાની હર્બલ ટી રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય આમળાનું અથાણું સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે પણ સારૂ છે. તો જો તમે આમળાનું સેવન આ રીતે કરો છો તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.


આમળાથી પુરુષોની સેક્સ લાઇફને વધુ સારી બનાવે છે
એક સંશોધન મુજબ આમળામાં જોવા મળતું લોહ તત્વ શુક્રાણું વધારવામાં મદદ કરે છે. આયુર્વેદિક નિષ્ણાંતો સૂચવે છે કે દિવસમાં એકવાર આમળાનો રસ પીવો જોઈએ. આ તાકાતની સાથે જાતીય શક્તિમાં પણ વધારો કરે છે. આ ઉપરાંત, આમળા કેન્સર જેવા ધાતુના રોગો સામે રક્ષણ આપે છે.