Vitamin B12: દિવસ આખો કામ કર્યા પછી સાંજે શરીરમાં થાક અનુભવાય તે સામાન્ય વાત છે. પરંતુ રાત આખી આરામ કર્યા પછી સવારે જાગો ત્યારે પણ શરીરમાં થાક અને નબળાઈ લાગે તો સમજી લેવું કે આપણા સ્વાસ્થ્યમાં ગડબડ છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર રાત આખી ઊંઘ કર્યા પછી પણ સવારે શરીરમાં થાક અનુભવાય તો તે વિટામિન b12 અને આયરનની ઉણપ હોઈ શકે છે. આ બે ઊણપના કારણે શરીરમાં સતત થાક, નબળાઈ, શરીરમાં દુખાવો જેવી અનુભૂતિ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરીરમાં આયરનની ખામી હોય તો આવું થાય છે અને ચહેરો પણ પીળો પડી જાય છે. વિટામિન b12 પણ એક જરૂરી પોષક તત્વો છે જે શરીરની ઉર્જા દેવામાં મદદ કરે છે શરીરમાં તેની ઉણપ હોય તો પણ સતત થાક અનુભવાય છે. આ બંને જરૂરી પોષક તત્વોની શરીરમાં ખામી હોય તો તેના કારણે કેટલીક ગંભીર બીમારી પણ થઈ શકે છે.


આ પણ વાંચો:


લીમડાનું પાણી પીવાથી થાય છે 5 ગજબના ફાયદા, જાણો કયા સમયે પીવાથી ઝડપથી થાય છે લાભ


આ 5 કારણથી રોજ પીવું તજનું પાણી, જાણો કેવી રીતે કરવું તૈયાર અને તેનાથી થતા લાભ વિશે


આ 4 વસ્તુઓમાં ઘી ઉમેરી લેવાથી મટી જાય છે શરદી-ઉધરસ, 5 મિનિટમાં ખુલી જાશે બંધ નાક


વિટામિન b12 ની ખામીથી થતી બીમારીઓ


- શરીરમાં રક્તની ઉણપ સર્જાય છે
- મગજ અને નસ માં સમસ્યાઓ થવા લાગે છે
- શારીરિક અને માનસિક થાક અનુભવાય છે
- નકારાત્મક મનોભાવ અને અવસાદની સ્થિતિ સર્જાય છે
- મોઢામાં ચાંદા વારંવાર પડે છે
- પેટમાં દુખાવો અને કબજિયાત રહે છે.


વિટામિન b12 કયા ખોરાકમાંથી મળે છે


ઈંડાની જરદીમાં વિટામિન b12 ભરપૂર પ્રમાણમાં હોય છે.


દૂધ અને દૂધથી બનેલા ઉત્પાદનોમાં પણ વિટામિન b12 ભરપૂર હોય છે.


સાલમન જેવી માછલીમાં પણ વિટામિન b12 હોય છે


સોયા અને સોયાથી બનેલી પ્રોડક્ટમાં પણ વિટામિન b12 હોય છે


ડોક્ટરની સલાહ લઈને વિટામીન b12 ની સપ્લીમેન્ટ પણ લઈ શકાય છે.