નવી દિલ્હી: ભાગદોડ ભર્યુ જીવન અને જંકફૂડ તમને મેદસ્વી બનાવે છે. વજન કેવી રીતે વધે છે, તેને એમ સમજી શકાય છે કે, ખોરાક દ્વારા લોકોના શરીરમાં કેલેરી જાય છે, પરંતુ જ્યારે બોડી દૈનિક ધોરણે ઘણી કેલેરી ખર્ચ નથી કરી શકતી તો એકસ્ટ્રા કેલેરી ફેટનું રૂપમાં સંગ્રહિત થયા છે. જેના કારણે શરીરનું વજન વધવા લાગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયુર્વેદિક નિષ્ણાત ડો. અબરાર મુલ્તાની કહે છે કે, મેદસ્વી લોકોમાં ઘણી બીમારીનો ખતરો રહે છે. એવામાં દરેક વ્યક્તિ ફિટ અને પાતળા રહેવાના તમામ પ્રયત્નો કરે છે. આ સમાચારમાં અમે તમને જણાવશું કેટલીક એવી વસ્તુ વિશે, જેના સેવનથી તમે વજન ઘટાડી શકો છો.


આ પણ વાંચો:- હાડકામાંથી આવે છે કટ કટ નો અવાજ? આવા સંકેત મળે તો થઈ જજો સાવધાન


આ ત્રણ વસ્તુનું કરો સેવન


1. લીંબુનું સેવન
જો તમારે વજન ઓછું કરવું હોય અથવા મેદસ્વીપણાની સમસ્યાથી બચવું હોય તો લીંબુનું સેવન કરો. કારણ કે લીંબુમાં હાજર એન્ટી ઓક્સિડેન્ટ્સ ત્વચાને ઓક્સિડેટીવ તાણથી બચાવવામાં મદદગાર છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તેમાંથી મળતા તત્વો પાચનની સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક છે. આ સ્થૂળતાનું જોખમ ઘટાડે છે. વિશેષ બાબત એ છે કે લીંબુમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું છે, તે મોટાબોલિઝ્મમાં પણ સુધારો કરે છે.


આ પણ વાંચો:- Knowledge: જો તમારી ટૂથપેસ્ટના પાછળના ભાગે આ ચાર રંગ છે, તો જાણો તેનો અર્થ


2. એલચીનું સેવન
જો તમે ચરબી ઘટાડવા માંગતા હોવ તો, એલચી તમારા માટે મદદરૂપ સાબિત થાય છે. એટલું જ નહીં, વધારે ખોરાક ખાધા પછી તરત જ એલચી ખાવાથી તમને પેટમાં ભારે લાગશે નહીં અને ના અપચો જેવો અનુભવ થશે. એલચી મેટાબોલિઝ્મમાં વધારો કરે છે, જેનાથી વજન ઓછું કરવું સરળ બને છે.


આ પણ વાંચો:- સ્મોકિંગ કરનારા માટે કોરોના બની શકે છે ખતરનાક, WHOના રિપોર્ટમાં દાવો


3. તજનું સેવન
આયુર્વેદિક નિષ્ણાત ડો. અબરાર મુલ્તાનીના જણાવ્યા અનુસાર, તજની મદદથી પણ તમે વજન ઘટાડી શકો છો. તેમાં ઘણાં ઔષધીય ગુણધર્મો છે, જે ના માત્ર વજન ઘટાડવામાં મદદગાર છે, પરંતુ મેટાબોલિઝ્મને સુધારવામાં પણ અસરકારક છે. વિશેષ બાબત એ છે કે ખોરાકની તૃષ્ણાને કાબૂમાં રાખવા ઉપરાંત, લોકોને વધુ પડતા ખાવાથી બચાવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube