Milk Side Effects: દૂધમાં અનેક પોષક તત્વ હોય છે તેથી જ તેને સંપૂર્ણ આહાર કહેવાય છે. દૂધ દરેક સિઝનમાં સરળતાથી મળી રહેતું સુપરફૂડ પણ છે. દરેક વ્યક્તિએ દિવસમાં થોડું દૂધ તો પીવું જ જોઈએ. ઉંમર અને શારીરિક શ્રમ અનુસાર નિયમિત દૂધ પીવાથી શરીરને જરૂરી કેલ્શિયમ, વિટામિન ડી, પ્રોટીન, આયરન, સોડિયમ મળી રહે છે. ખાસ કરીને દૂધ બાળકો અને મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. બાળકો અને મહિલાઓને દિવસમાં 2 વખત દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સૂતી વખતે તળિયામાં બળતરા થતી હોય તો ન કરો ઈગ્નોર, આ ગંભીર સમસ્યાનું હોય શકે છે લક્ષણ


લોકો દૂધ અલગ અલગ રીતે પીતા હોય છે. જેમકે કેટલાક લોકો સવારે નાસ્તામાં દૂધમાં કોર્નફ્લેક્સ જેવી વસ્તુઓ ઉમેરીને તેનું સેવન કરે છે. કેટલાક લોકો દૂધમાં ડ્રાયફ્રુટ અને અન્ય મસાલા ઉમેરીને પીતા હોય છે. તો વળી કેટલાક લોકો રાત્રે સુતા પહેલા દૂધ પીવે છે. રાત્રે દૂધ પીવાના પણ અલગ જ ફાયદા છે. રાત્રે દૂધ પીવાથી સ્ટ્રેટથી રાહત મળે છે અને ઊંઘ સારી આવે છે. પરંતુ રાત્રે દૂધ પીવાની આદત કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. 


આ પણ વાંચો: Rainy Season: વરસાદમાં પલળ્યા પછી પણ નહીં પડો બીમાર, બસ આ 5 ટીપ્સ ફોલો કરજો


કેટલાક લોકોએ રાત્રે દૂધ પીવાનું હંમેશા ટાળવું.. આ લોકો જો રાત્રે દૂધ પીવે તો તેમને ફાયદાને બદલે નુકસાન વધારે થાય છે. ખાસ તો આ ત્રણ સમસ્યા ધરાવતા લોકો જો રાત્રે સુતા પહેલા દૂધ પીવે તો તેમને ઊંઘ આવવામાં સમસ્યા થાય છે અને સાથે જ બેચેની પણ અનુભવાય છે આ સિવાય પેટમાં તકલીફ પણ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કઈ 3 સમસ્યા હોય તેમણે રાત્રે દૂધ પીવાનું ટાળવું જોઈએ. 


નબળું પાચન 


ઘણા લોકોનું પાચન ખૂબ જ નબળું હોય છે. પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તેમણે રાત્રે દૂધ પીવું નહીં. આવા લોકો રાત્રે દૂધ પીવે તો તે સરળતાથી પચતું નથી જેના કારણે પેટ ખરાબ થઈ શકે છે. આ સિવાય કબજિયાત જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. 


આ પણ વાંચો: સફરજન કરતાં વધારે ગુણ હોય તેની છાલમાં, છાલના ઉપયોગ અને ફાયદા વિશે નહીં જાણ્યું હોય


કફ રહેતો હોય એવા લોકો 


જે લોકોને કફની ફરિયાદ હોય તેમણે પણ રાત્રે દૂધ પીવું નહીં. રાત્રે સુતા પહેલા દૂધ પીવાથી એવા લોકોને નુકસાન થાય છે જેમને કફ રહેતો હોય. રાત્રે દૂધ પીવાથી કફ વધી જાય છે. સાથે જ શરદી અને ઉધરસની સમસ્યા પણ થવા લાગે છે. 


લીવરની સમસ્યા 


જે લોકોનું લીવર નબળું હોય અથવા તો લીવર સંબંધિત સમસ્યા હોય તેમણે પણ રાત્રે દૂધ પીવાથી બચવું. રાત્રે સુતા પહેલા દૂધ પીવાથી શરીરની ડિટોક્સિફિકેશનની પ્રક્રિયા સ્લો થઈ જાય છે. જેના કારણે લીવર ડિટોક્ષ થઈ શકતું નથી. પરિણામે લીવરમાં ગંદકી જમા થવા લાગે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)