Heart Attack : બદલાતી જીવનશૈલીને કારણે હૃદયની બીમારીઓ વધી રહી છે ત્યારે બીજી તરફ જનજાગૃતિના અભાવે લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે. કાર્ડિયોલોજિસ્ટ ડૉ.બી.એસ. યાદવ સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે લોકોની ફૂડ હેબિટમાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે. એટલું જ નહીં બદલાતી જીવનશૈલીએ લોકોને હાર્ટ પેશન્ટ બનાવી દીધા છે. આ સિવાય ધૂમ્રપાન અને પ્રદૂષણ પણ હાર્ટ અટેકની સંખ્યા વધવાનું મોટું કારણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડો.બી.એસ. યાદવના જણાવ્યા અનુસાર, હાર્ટ એટેકના દર્દીની છાતી પર યોગ્ય સમયે હાથ વડે પમ્પીંગ કરવામાં આવે તો તેને મરતા બચાવી શકાય છે. આ સિવાય આજકાલ ઘણા બધા ઉપકરણો ઉપલબ્ધ થઈ ગયા છે, જે એરપોર્ટ અને ટ્રેનમાં સરળતાથી મળી જાય છે. આ સિવાય તેને ઘરે અને ઓફિસમાં રાખવામાં આવે તો  હાર્ટ એટેકના સમયે દર્દીઓને બચાવી શકાય છે.


.તો ચાલો જાણી લઈએ ઠંડીમાં વધુ પ્રમાણમાં પાણી પીવાથી શું થાય છે ફાયદા ?


જો તમે પણ ભોજન અને દૂધ વારંવાર ગરમ કરીને ઉપયોગમાં લેતા હોવ તો સાવધાન...


છોકરીઓ અમથી કઈ પાણીપુરીની લારી પર લાઈન નથી લગાવતી, જાણો શું થાય છે લાભ


તાજેતરનો જ કિસ્સો મધ્ય પ્રદેશના રીવાનો છે, જ્યાં વરરાજાના મિત્રને ડાન્સ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત નીપજ્યું. હૃદયરોગના સતત વધતા જતા રોગો અંગે કાર્ડિયોલોજિસ્ટ ડો.બી.એસ.યાદવે જણાવ્યું હતું કે લોકો હાર્ટ એટેક જેવા રોગોથી સરળતાથી બચી શકે છે. અગાઉ એક સમાચાર આવ્યા હતા કે ખુરશી પર બેઠેલા વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. આ દરમિયાન એક IAS અધિકારીએ છાતીમાં પંપ લગાવીને તે વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube