નવી દિલ્હી/રૂરકી: રૂરકીના ઝબરેડા વિસ્તારમાંથી એક મોટા સમાચાર આવ્યાં છે. ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત થયા છે જ્યારે એક ડઝનથી વધુ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. કહેવાય છે કે ગુરુવારની સાંજે તેમણે દારૂ પીધો હતો. ઘટના બાદ પોલીસ તથા નશાબંધી વિભાગ ઝેરી દારૂ વેચનારાઓને પકડવામાં લાગી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુઝફ્ફરનગર: મદરેસામાં મોટા વિસ્ફોટ બાદ આગ લાગી, 12 વિદ્યાર્થીઓ દાઝ્યા, 10ની હાલત નાજુક


ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રૂરકીની અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં છે. કેટલાક લોકોને સહારનપુર જિલ્લામાં દાખલ કરવામાં આવ્યાં છે. એક સાથે 14 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે અને એક્સાઈઝ વિભાગે મોટી કાર્યવાહી પણ કરી છે. વિભાગે નશાબંધી ઈન્સ્પેક્ટર સહિત 13 કર્મચારીઓને સસ્પેન્ડ  કર્યા છે. 


પહેલી જ બેઠકમાં પ્રિયંકા ગાંધીએ દેખાડ્યા તેવર, RSS માટે આપ્યું મોટું નિવેદન 


આ મામલાને ગંભીરતાથી લેતા એક્સાઈઝ મંત્રી પ્રકાશ પંતે ટ્વિટ કરીને કેસની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. હરિદ્રારના ગ્રામ બાલપુર, ભલસ્વા, ખેડી ગામના પીડિત/મૃતકોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ છે. વિભાગીય અધિકારીઓની બેદરકારીના દ્રષ્ટિગત સંબધિત વિસ્તારના નશાબંધીના ઈન્સ્પેક્ટર તથા સિપાઈઓને તત્કાળ સસ્પેન્ડ ક રવાના તથા આ દુખદ ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપી રહ્યો છું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...