કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં આકાશીય વીજળીએ કહેર વરસાવ્યો છે. રાજ્યના ત્રણ જિલ્લામાં સોમવારે વીજળી પડવાથી 20 લોકોના મોત થયા છે. મુર્શિદાબાદ અને હુગલીમાં નવ-નવ તથા પૂર્વી મેદિનીપુર જિલ્લામાં બે લોકોના મોત થયા છે. પશ્ચિમ બંગાળમાં થયેલી આ દુર્ઘટના પર પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે પ્રધાનમંત્રીએ વળતરની પણ જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યુ- મારી સંવેદનાઓ તે બધા લોકોની સાથે છે જેણે પશ્ચિમ બંગાળના કેટલાક ભાગમાં વીજળી પડવાથી સ્વજનો ગુમાવ્યા છે. ઈજાગ્રસ્તો જલદી સાજા થાય.


હવે આ લોકોને 28 દિવસ બાદ મળશે Covishield નો બીજો ડોઝ, નિયમમાં થયો ફેરફાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube