લખનઉ/દહેરાદૂન: ઉત્તર પિરદેશ અને ઉત્તરાખંડમાં થયેલા હાલના જ બે માર્ગ અકસ્માતમાં કુલ ચાર કાંડવડિયોના મોત થઇ ગયા છે. જ્યારે, 30 કરતા પણ વધારે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ન્યુઝ એજન્સી એએનઆઇ અનુસાર, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કાંવડિયોને લઇને જઇ રહેલા વાહન પલટી મારી જતા બે કાંવડિયોના મોત થઇ ગયા હતા, જ્યારે કેટાલાય કાંવડિયો ઘાયલ થયા હતા. એસપી બૃજેશ શ્રીવાસ્તવએ જણાવ્યું કે, કાંવડિયોને લઇ જતું વાહન પલટી ગયુ હતું. આ વાહન જૌનપુરથી આવી રહ્યું હતું. વાહનમાં આશરે 32 જેટલા કાંવડિયો હતા. જેમાં બે કાંવડિયોઓના મોત થયા હતા.


યુવકની આત્મહત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, કાચાપોચા હ્રદયના ન જોતા આ VIDEO

એસડીઆરએફે ઘટના સ્થળ પર પહોંચીને ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી શરૂ કરી હતી. મળતી માહિતી અનુસારા આ અકસ્માતમાં બે કાંવડિયોના મોત થયા છે જેમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ છે.