નવી દિલ્હીઃ પાકિસ્તાન તેની અવળચંડાઈમાંથી બહાર આવતું નથી. જમ્મુ-કાશ્મીરની સરહદે ગોળીબાર અને તોપમારો ચલાવીને તે નિયમિત રીતે યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કરતું રહે છે. હવે, ફરી વખત પાકિસ્તાનના ચાર F-16 વિમાન ભારતીય સરહદમાં ઘુસી આવ્યા હતા. તેમની સાથે એક મોટું યુએવી (માનવ રહીત ડ્રોન વિમાન) પણ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુત્રોએ જણાવ્યું કે, "ભારતીય રડારે આજે વહેલી સવારે 3 કલાકે એક મોટું UAV (Unmanned Arial Vehicle) અને ચાર પાકિસ્તાની F-16 વિમાન ભારતીય સરહદમાં પંજાબના ખેમકરણ વિસ્તારમાં ઉડતા જોવા મળ્યા હતા. જેના જવાબમાં ભારતે સુખોઈ-30 અને મિરાજ જેટ વિમાન મોકલ્યા હતા. ભારતીય વિમાને પીછો કરતાં પાકિસ્તાનના યુદ્ધ વિમાન તેમની સરહદમાં પાછા જતા રહ્યા હતા."


ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ ઈન્દિરા ગાંધીનું પુનરાગમન કરતી 1980ની ચૂંટણી


પાકિસ્તાનને અમેરિકાએ F-16 વિમાન આપેલા છે. જોકે, અમેરિકાએ આ વિમાન એવી શરતે આપ્યા છે કે પાકિસ્તાન તેનો ઉપયોગ કોઈ યુદ્ધમાં કે યુદ્ધ સંબંધિત કાર્યવાહીમાં કરી શકશે નહીં. અમેરિકાએ પાકિસ્તાનને તેના દ્વારા ભારત સામે F-16 વિમાનનો ઉપયોગ કરવા બદલ ધમકી પણ આપવામાં આવી હતી. તેમ છતાં, પાકિસ્તાન અવળચંડાઈ કરવામાં સુધરતું નથી. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિકે...