કાયદાની ચુંગલમાંથી કોઈ બચી શકતું નથી. જ્યારથી શાહરૂખ ખાન (Shahrukh Khan) નો પુત્ર આર્યન ખાન 2 ઓક્ટોબરથી એનસીબીના સકંજામાં આવ્યો છે ત્યારથી તેને કોઈ રાહત મળી નથી. 8 ઓક્ટોબરથી આર્યન મુંબઈની આર્થર રોડ જેલમાં છે. મન્નત જેવા મહેલમાંથી સીધો જ આર્થર રોડ જેલમાં પહોંચી ગયેલો આર્યન હાલ અનેક મુસીબતોનો સામનો કરી રહ્યો છે જે તેના માટે પળેપળ જીવવું કપરું બનાવી રહ્યું છે. એવી 5 સમસ્યાઓ વિશે અમે તમને જણાવીશું જેમાંથી કેટલાક વિશે તો જેલ પ્રશાસન પણ ચિંતિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘર પરિવારથી દૂર
આર્યન ખાન (Aryan Khan) મન્નત જેવા મહેલથી દૂર જેલમાં દિવસો કાપી રહ્યો છે. જે ઠાઠથી તે રહેવા ટેવાયેલો છે તેને જોતા જેલનું જીવન તેના માટે ખુબ કપરું બની રહ્યું છે. તેને તેના માતા પિતાને મળવાની પણ મંજૂરી નથી. નવા કોવિડ નિયમોના કારણે પર્સનલ મીટિંગ કરવા દેવાતી નથી. અનેક વિનંતી છતાં આર્યન ખાન માતા પિતાને મળી શક્યો નથી અને આખરે તેણે વીડિયો કોલથી કામ ચલાવવું પડ્યું. 


PICS: શાહરૂખ-સલમાન સહિત આ 10 સેલેબ્સ જાહેરમાં ન છૂપાવી શક્યા લવ બાઈટ્સ, શરમથી થયા હતા લાલચોળ


જેલનો ખોરાક
આર્યન જેલમાં બિસ્કિટ પર જીવી રહ્યો છે. તે જેલનું ભોજન ખાતો નથી. જેલની કેન્ટિનમાંથી તે મર્યાદિત ખાવાનું લઈને ખાઈ શકે તેવી મંજૂરી છે. એટલે કે દરેક કેદીને મહિને અમુક રકમ ખર્ચ કરવા મળતી હોય છે. એટલી જ રકમ આર્યનને મળેલી છે. તેને હજુ સુધી ઘરનું ભોજન ખાવાની મંજૂરી મળેલી નથી. આ બધી માથાકૂટમાં આર્યન જે રીતે ખાવામાં બેદરકારી વર્તી રહ્યો છે તેનાથી જેલ સ્ટાફ પણ ચિંતામાં છે. 


Aryan Khan મામલે શાહરૂખ ખાનના આ 10 'મિત્રો'નું મૌન છે એકદમ અકળાવનારું, સપોર્ટમાં એક ટ્વીટ નહીં!

કિડીયારાની જેમ ઉભરાતા માણસો
રિપોર્ટ્સ મુજબ આર્થર રોડ જેલમાં કેપેસિટી કરતા વધુ કેદીઓ છે જેના કારણે ખુબ ભીડભાડ છે. આર્યન તેનાથી ટેવાયેલો નથી જેના કારણે તેને બીજા સાથે રહેવામાં મુશ્કેલી પડી રહી છે. જો કે સુરક્ષા કારણોસર આર્યનને એક અલગ સેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube