નવી દિલ્હી: પુલવામા હુમલા જેવા જઘન્ય આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો અને ત્યારબાદ થયેલી જવાબી કાર્યવાહી પર ભલે કોંગ્રેસના નેતાઓ સવાલ ઉઠાવી રહ્યાં હોય પરંતુ દેશવાસીઓના મનમાં આ શહીદ જવાનોના પરિવારો પ્રત્યે ખુબ જ ભાવના અને મદદ માટે ઉત્સાહ ઉમટી રહ્યો છે. અર્ધસૈનિક દળોના શહીદ જવાનોના પરિવારોને મદદ કરવા માટે બનાવવામાં આવેલા પોર્ટલ 'ભારત કે વીર'ના બેંક ખાતામાં લોકો પાણીને જેમ પૈસો ભેગો કરી રહ્યાં છે. 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલા બાદ અત્યાર સુધીમાં આ પોર્ટલ પર દેશવાસીઓએ શહીદોના ખાતામાં 80 કરોડ રૂપિયા દાન કર્યાં છે. આ અગાઉ છેલ્લા બે વર્ષમાં માત્ર 20 કરોડ રૂપિયા જ જમા થઈ શક્યા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં હવે જો એક પણ આતંકી હુમલો થયો તો પાકિસ્તાનનું આવી જ બન્યું, 'તમામ વિકલ્પો' ખુલ્લા!


'ભારત કે વીર' સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યાં મુજબ 'દેશના લોકો જે રીતે આપણા શહીદ જવાનોના પરિવારોને મદદ કરી રહ્યાં છે તે વખાણવા લાયક છે અને આવા પરિવારો કે જેમણે પોતાના લોકોને ગુમાવ્યાં છે તેમને એ લાગી રહ્યું છે કે તેઓ એકલા નથી પરંતુ આખો દેશ તેમની સાથે છે.' 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...