નવી દિલ્હીઃ દેશની સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડે આજે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ આઈલેન્ડથી ઈન્ટરમીડિએટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું છે. રક્ષામંત્રાલય પ્રમાણે લોન્ચ દરમિયાન તમામ પેરામીટર્સને મિસાઇલે સફળતાપૂર્વક હાસિલ કર્યાં છે અને તે પરીક્ષણથી ભારતની સૈન્ય ક્ષમતાઓને મજબૂતી મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષામંત્રાલય પ્રમાણે આ પરીક્ષણ સાંજે આશરે સાડા સાત કલાકે કરવામાં આવ્યું. નિવેદન પ્રમાણે અગ્નિ-4નું સફળ પરીક્ષણ ભારતની વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધક ક્ષમતાની નીતિની પુષ્ટિ કરે છે. જાણકારી પ્રમાણે આ મિસાઇલ 4 હજાર કિલોમીટર સુધીનું લક્ષ્ય ભેદવામાં સક્ષમ છે અને તે પરમાણુ હથિયારને પણ લઈ જઈ શકે છે.


રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે ભારત, 76 હજાર કરોડના હથિયાર ખરીદવાને મળી મંજૂરી  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube