મુંબઇ: મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મામલે પ્રથમ વખત વિપક્ષી દળના આરોપો પર પલટ વાર કર્યો છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મોતથી તેમનો કોઇ સંબંધ નથી અને આ મામલે તેમના પર જે આરોપ લગાવવામાં આવી રહ્યાં છે તે તમામ પાયાવિહોણા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આદિત્ય ઠાકરેએ કહ્યું, "જો કોઈના પર કોઈ આરોપ હોવાના પુરાવા છે, તો તેઓને તાત્કાલિક પોલીસને સોંપવો જોઈએ, પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે."


કોરોનાના એક્ટિવ કેસ સામે બમણી સાજા થતા લોકોની સંખ્યા, વેક્સીનને લઇ સ્વાસ્થ્ય મંત્રાલયે કહી આ વાત


આદિત્ય ઠાકરેએ આ પણ કહ્યું કે, આ ઘટનાક્રમ પર વિપક્ષી દળ ખુબજ નીચલા સ્તરનું રાજકારણ કરી રહ્યું છે અને આ વાત પર આટલું બધુ થયા પછી ઠાકરે પરિવાર શાંત નહીં બેસે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube