દેહરાદૂનઃ ઉત્તરાખંડથી આમ આદમી પાર્ટી માટે ખરાબ સમાચાર આવ્યા છે. હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીનો ચહેરો કર્નલ અજય કોઠિયાલે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. બુધવારે આપ નેતાએ ટ્વીટ કરી જાણકારી આપી છે. અજય કોઠિયાલ 20 એપ્રિલ 2021ના આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે ટ્વીટ કરી કહ્યુ- પૂર્વ સૈનિકો, પૂર્વ અર્ધસૈનિકો, વૃદ્ધો, મહિલાઓ, યુવાઓ અને બુદ્ધિજીવિઓની ભાવનાઓને ધ્યાનમાં રાખતા, હું આમ આદમી પાર્ટીના સભ્ય પદેથી રાજીનામુ આપી રહ્યો છું. 


વિધાનસભા ચૂંટણી દરમિયાન કર્નલ અજય કોઠિયાલ પર આપના પ્રતાપનગરથી ઉમેદવાર સાગર ભંડારીએ આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ તેમણે અજય કોઠિયાલને ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટીના પરાજય માટે જવાબદાર ઠેરવ્યા હતા. 


દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પોતાના પદ પરથી આપ્યુ રાજીનામુ


કોણ છે કર્નલ અજય કોઠિયાલ
કર્નલ અજય કોઠિયાલ સેનામાંથી નિવૃત્ત છે. તેમનો જન્મ 26 ફેબ્રુઆરી 1968ના ગુરદાસપુરમાં થયો હતો. તે બે વખત એવરેસ્ટ વિજેતા રહી ચુક્યા છે. તેમણે એવરેસ્ટ અભિયાનનું નેતૃત્વ કર્યુ હતું. આ સિવાય કેદારનાથ પુનનિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. નંદા દેવી રાજજાત 2014નું સંચાલન કર્યુ હતું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube