નવી દિલ્હીઃ કોંગ્રેસે આજે આમ આદમી પાર્ટીને દિલ્હી અધ્યાદેશ વિરુદ્ધ સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરતા 18 જુલાઈે બેંગલુરૂમાં યોજાનારી વિપક્ષની એકતા બેઠકમાં સામેલ થવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી સાંસદ રાઘવ ચડ્ઢાએ તેની જાણકારી આપી છે. રાઘવ ચડ્ઢાએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, કોંગ્રેસે અધ્યાદેશ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ બેંગલુરૂમાં યોજાનારી વિપક્ષની બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 જુલાઈએ વિપક્ષની બેઠકમાં સામેલ થશે AAP
કોંગ્રેસે દિલ્હી અધ્યાદેશ વિરુદ્ધ આમ આદમી પાર્ટીને સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ પણ  PACની બેઠર બાદ મોટો નિર્ણય કર્યો. પાર્ટીએ 17-18 જુલાઈએ યોજાનારી વિપક્ષી બેઠકમાં સામેલ થવા પર પોતાની મંજૂરી આપી છે. આમ આદમી પાર્ટી સાંસદ રાઘવ ચડ્ઢાએ જણાવ્યું કે  PAC બેઠકમાં દરેક પાસાં પર ચર્ચા થઈ છે. દિલ્હી અધ્યાદેશ રાષ્ટ્ર વિરોધી છે. અરવિંદ કેજરીવાલે આ અધ્યાદેશ વિરુદ્ધ તમામ રાજકીય પાર્ટીઓએ સહયોગ માંગ્યો અને તેના પર અમારો સહયોગ કર્યો, કોંગ્રેસ પાર્ટીએ પણ આ અધ્યાદેશ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો છે. 17-18 જુલાઈએ બેંગલુરૂમાં યોજાનારી વિપક્ષની બેઠકમાં આમ આદમી પાર્ટી ભાગ લેશે. આમ આદમી પાર્ટી તરફથી તેના સંયોજક અરવિંદ કેજરીવાલ બેઠકમાં સામેલ થશે. 


દેશની સૌથી વિચિત્ર જગ્યા, અહીં લગ્ન પહેલા 'લિવ ઇન'માં રહેવાનો નિયમ છે


કોંગ્રેસના મહાસચિવ-સંગઠન કેસી વેણુગોપાલ, જેઓ સંયુક્ત વિપક્ષની બેઠક પહેલા બેંગલુરુ પહોંચ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે પટનામાં યોજાયેલી બેઠક 2024ની લોકસભા ચૂંટણી માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષોને એક કરવા માટેની પ્રારંભિક બેઠક હતી. હવે બેંગલુરુમાં યોજાનારી બેઠક પટના સમિટની સિક્વલ છે. આ બેઠક દ્વારા અમે 2024ની સામાન્ય ચૂંટણીઓ સાથે આગળ વધીશું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube