લખનઉઃ આમ આદમી પાર્ટીથી રાજ્યસભા સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. સંજય સિંહે આ મામલાની તપાસ સીબીઆઈ અને ઈડી પાસે કરાવવાની માંગ કરી છે. સિંહે રવિવારે પત્રકાર પરિષદમાં સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું કે, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સંસ્થાના સભ્ય અનિલ મિશ્રાની મદદથી બે કરોડ રૂપિયાની કિંમતની જમીન 18 કરોડ રૂપિયામાં ખરીદી. આ મની લોન્ડ્રિંગનો મામલો છે અને સરકાર તેની સીબીઆઈ અને ઈડી પાસે તપાસ કરાવે. આ વિશે હજુ ચંપત રાય અને અનિલ મિશ્રાની કોઈ પ્રતિક્રિયા આવી નથી. 


સંજય સિંહે પત્રકાર પરિષદમાં કેટકાલ દસ્તાવેજ રજૂ કરતા કહ્યુ કે, કોઈ કલ્પના પણ ન કરી શકે કે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામના નામ પર કોઈ કૌભાંડ કે ભ્રષ્ટાચાર કરવાની હિંમત કરશે પરંતુ જે કાગળ હું તમને દેખાડવા જઈ રહ્યો છું તે રાડો પાડીને કહી રહ્યાં છે કે રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામ પર કરોડો રૂપિયા ચંપત રાય જી ચાંઉ કરી ગયા. તેમણે દાવો કર્યો કે, અયોધ્યા સદર તાલુકાના બાગ બિજૈસી ગામમાં પાંચ કરોડ 80 લાખ રૂપિયાની મલિકી વાળી સર્વે નંબર 243, 244 અને 246ની જમીન સુલ્તાન અંસારી અને રવિ મોહન તિવારી નામના વ્યક્તિઓએ કુસુમ પાઠળ અને હરીશ પાઠક પાસેથી 18 માર્ચે બે કરોડ રૂપિયામાં ખરીદી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube