નવી દિલ્હીઃ નોર્થ ઈસ્ટ દિલ્હીના ચાંદબાગ વિસ્તારમાં હિંસાનો શિકાર થયેલા એસીપી અનુજ કુમાર હવે સામે આવ્યા છે. હિંસામાં ખુદ ઈજાગ્રસ્ત એસીપી ગોકુલપુરી અનુજે જણાવ્યું કે, તે દિવસે ડીસીપી અમિત શર્મા પણ તેમની સામે ઈજાગ્રસ્ત થયા હતા. હિંસામાં શહીદ થયેલા હેડ કોન્સ્ટેબલ રતન લાલ પણ તેમની સાથે હતા. અનુજ કુમારનું માનીએ તો પ્રદર્શન કરી રહેલા લોકો સર્વિસ લેનથી રસ્તા પર આવી ગયા હતા. પછી અફવા ફેલાઇ કે પોલીસની ગોળીઓથી બાળકો મરી ગયા છે. તેણે હિંસાને ત્યાં ભડકાવી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 તારીખની સવારે 11.30 અને 12 કલાકની આસપાસની વાત છે. મારી તથા રતન અને બાકી કર્મચારીઓની ડ્યૂટી ચાંદબાગ મજારથી 80-100 મીટર આગળ હતી. 23ના ત્યાં પર વઝીરાબાદ રોડ જામ કર્યો હતો. જેને રાત્રે ખોલાવવામાં આવ્યો હતો. તે રસ્તા પર સ્પષ્ટ જાળવણીનો આદેશ મળ્યો હતો. 


તેમણે આગળ જણાવ્યું કે, તે દિવસે ધીરે-ધીરે લોકો ભેગા થઈ ગયા હતા. મહિલાઓ આગળ હતી. વઝીરાબાદ રોડની પાસે તે આવવા લાગ્યા. અમે તેમને સમજાવ્યા. તે સતત આગળ વધી રહ્યાં હતા. સર્વિસ રોડ તરફથી અમે પીછો કરવાનો પ્રયત્ન કર્યો. આદેશ હતો કે જે પ્રદર્શન છે તે સર્વિસ રોડ સુધી સીમિત રહે. 


રાજધર્મઃ મોદી સરકાર પર સિબ્બલનો કટાક્ષ- તમે વાજપેયીનું ન સાંભળ્યું, અમારૂ શું સાંભળશો 


સરના મોઢામાં લોહી જોયું, અમે હોશ ગુમાવ્યો
અનુજ જણાવે છે કે પથ્થરબાજી શરૂ થયા બાદ તેમની નજર ડીસીપી અમિત શર્માને શોધી રહી હતી. અનુજે કહ્યું, ડીસીપી સરના મોઢામાંથી લોહી નિકળી રહ્યું હતું, તેને જોઈને અમે હોશ ગુમાવી દીધો હતો. પછી અમે ડીસીપી સરને લઈને યમુના વિહાર તરફ ભાગ્યા હતા. જો સીધા રોડ પર ગયા હોત તો લોકોએ અમને મારી નાખ્યા હોત.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...